VADODARA: ગ્રીન બેલ્ટ મામલે મેયર કેયુર રોકડિયાના નિર્ણય સામે હવે ભાજપના સાંસદ અને ધારાસભ્યોએ મોરચો માંડ્યો

મેયર બન્યા બાદ કેયુર રોકડિયા વિવાદમાં ફસાયા છે અને પક્ષના જ ધારાસભ્યો તથા સાંસદની નારાજગીનો તેઓએ સામનો કરવાનો વારો આવ્યો છે. ગ્રીન બેલ્ટ પ્લોટના આ વિવાદે વડોદરા શહેર ભાજપમાં ચાલી રહેલા આંતરિક ડખાને સપાટી પર લાવી દીધો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 6:01 PM

VADODARA: વડોદરામાં ગ્રીન બેલ્ટના પ્લોટ પાછા લેવાનો મામલો હવ વધુ ગરમાઇ રહ્યો છે.મેયર કેયુર રોકડિયાના નિર્ણય સામે હવે ભાજપના સાંસદ અને ધારાસભ્યોએ મોરચો માંડ્યો છે.15મી ઓગસ્ટના દિવસે સયાજીગંજના ધારાસભ્ય જીતુ સુખડીયાએ મેયરના નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો હતો.ત્યારે હવે સાંસદ રંજન ભટ્ટ પણ મેદાનમાં ઉતર્યા છે…અને મેયર કેયુર રોકડિયાના નિર્ણયને અયોગ્ય ઠેરવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે મનપા દ્વારા ફાળવાયેલા ગ્રીન બેલ્ટના પ્લોટનો હેતુફેર થયાની ફરિયાદ કોંગ્રેસે કરી હતી.અને કોંગ્રેસની રજૂઆત બાદ મેયરે કાર્યવાહી કરતા તમામ 48 જેટલા પ્લોટ સંસ્થાઓ પાસેથી પરત લઇ લીધા હતા.ત્યારે હવે વડોદરા શહેરના ભાજપના 5 ધારાસભ્યો અને સાંસદ રંજન ભટ્ટે મેયરના નિર્ણયને અયોગ્ય ઠેરવી પ્લોટ પરત કરવાની માગ કરી છે.

જોકે કોંગ્રેસની રજૂઆત બાદ કાર્યવાહી કરીને મેયર કેયુર રોડકિયા પક્ષમાં એકલા પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વડોદરા મહાનગરપાલિકાના જ ભાજપના કોર્પોરેટરો મેયરના નિર્ણયથી નારાજ છે.જોકે ધારાસભ્યો અને સાંસદોની માગ મુદ્દે પૂછતા મેયરે ગોળગોળ જવાબો આપ્યા.જોકે આખરે તેઓએ કબૂલ્યું કે હાલ પ્લોટ પરત કરવાનો કોઇ વિચાર નથી.

ઉલ્લેખનીય છે કે મેયર બન્યા બાદ કેયુર રોકડિયા વિવાદમાં ફસાયા છે અને પક્ષના જ ધારાસભ્યો તથા સાંસદની નારાજગીનો તેઓએ સામનો કરવાનો વારો આવ્યો છે.જોકે ગ્રીન બેલ્ટ પ્લોટના આ વિવાદે વડોદરા શહેર ભાજપમાં ચાલી રહેલા આંતરિક ડખાને સપાટી પર લાવી દીધો છે, ત્યારે જોવાનુ એ રહે છે કે આ સમગ્ર મામલો હવે ક્યાં જઇને અટકશે.

આ પણ વાંચો : RAJKOT : દારૂની હેરાફેરી માટે બુટલેગરે કાઢ્યો નવો રસ્તો, પણ પોલીસની નજરથી ન બચી શક્યો

આ પણ વાંચો : ફાર્મા સેક્ટરમાં ગુજરાતની વધુ એક સિદ્ધી, હવે ગુજરાતમાં બનશે DRDOની 2-DG દવા

 

Follow Us:
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">