Dahod : પોલીસે ગેરકાયદે લઇ જવાતો 550 થેલી યુરિયાનો જથ્થો જપ્ત કર્યો , તપાસ આરંભી

દાહોદ પોલીસે રૂપિયા 1.65 લાખની કિંમતની યુરિયા ખાતરની 550 થેલી જપ્ત કરી છે. આ ખાતરનો જથ્થો કોની પાસેથી લીધો? ક્યાંથી આવ્યો અને ક્યાં લઇ જવાનો હતો? તે દિશામાં LCBએ તપાસ હાથ ધરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 11:30 PM

ગુજરાતમાં(Gujarat)અનેક સ્થળો પર ખાતરની(Fertilizer)અછતની બૂમો પડી રહી છે તેવામાં દાહોદ(Dahod)લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) યુરિયા(urea)ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં ખાતરની થેલીઓ ભરેલો ટ્રક દેવગઢબારિયાથી ઝાલોદ જઈ રહ્યો હતો. આ દરમ્યાન પોલીસે ચેકિંગ કર્યું હતું. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે યુરિયા ખાતરનો આ જથ્થો ગેરકાયદે રીતે લઈ જવાતો હતો.

1.65 લાખની કિંમતની યુરિયા ખાતરની 550 થેલી જપ્ત કરી

જેને પગલે પોલીસે રૂપિયા 1.65 લાખની કિંમતની યુરિયા ખાતરની 550 થેલી જપ્ત કરી છે. આ ખાતરનો જથ્થો કોની પાસેથી લીધો? ક્યાંથી આવ્યો અને ક્યાં લઇ જવાનો હતો? તે દિશામાં LCBએ તપાસ હાથ ધરી છે.

યુરિયાનો ઉપયોગ મુખ્યત્વે ખેતી માટેની જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી, જમીનની ફળદ્રુપતાની શક્તિ વધારવા માટે કરવામાં આવે છે. જો કે કયા કારણોસર યુરીયા ખાતરની તંગી છે તે વાતથી ખેડૂતો અજાણ છે.

ખેડૂતોને સમયસર યુરિયા ખાતર મેળવવામાં મુશ્કેલી

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખેડૂતોને યુરિયા ખાતર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. તેમજ અનેક સ્થળોએ યુરિયા ખાતરનો મોટો જથ્થો પણ ઝડપાઇ રહ્યો છે. જેના પગલે ખેડૂતોને સમયસર યુરિયા ખાતર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. તેમજ સરકાર દ્વારા ઝડપથી વધુમાં વધુ જથ્થો ખેડૂતોને મળે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.

આ  પણ વાંચો : Anand: કીર્તિદાન ગઢવીના ડાયરાને લઈને પોલીસ એક્શનમાં, 10 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ

આ પણ વાંચો :  ખેડૂતોએ 72 કલાકમાં પાકના નુકસાન અંગે વીમા કંપનીને જાણ કરવી જરૂરી, નહીં તો વળતર મેળવવું બનશે મુશ્કેલ

Follow Us:
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">