MEHSANA : ઊંઝાના ઉપેરા ગામમાં વીજળી પડી, બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત, 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત

ઉપેરા ગામે મંદિર બહાર રમકડા વેચવા આવેલા ત્રણ ફેરિયા પર વીજળી પડી અને બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 7:57 PM

MEHSANA : મહેસાણાના ઊંઝામાં વીજળી પડવાની ઘટના સામે આવી છે. મહેસાણાના ઊંઝા તાલુકાના ઉપેરા ગામમાં વીજળી પડી છે. ઉપેરા ગામમાં પડતા બે વ્યક્તિના મોત થયા છે. ઉપેરા ગામે મંદિરની ઉજવણીમાં ગ્રામજનો એકત્ર થયા હતા તે દરમિયાન વીજળી પડવાની આ ઘટના છે. ઉપેરા ગામે મંદિર બહાર રમકડા વેચવા આવેલા ત્રણ ફેરિયા પર વીજળી પડી અને બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

રાજ્યમાં 4 દિવસ પહેલા ગાંધીનગરમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જુના સચિવાલય બ્લોક નંબર 11 પાસે આજે વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયુ હતું. જે વ્યક્તિનું મોત થયું છે તે જિલ્લા પંચાયતમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા. આ વ્યક્તિ રિસેસના સમયે ચા-નાસ્તો કરીને પોતાની ફરજ પર પાછા જઈ રહ્યા. તેઓ એક લીમડાના ઝાડ નજીકથી પસાર થઈ રહ્યા ત્યારે અચાનક વીજળી પડતા તેઓનું મોત થયું હતું. રાજ્યમાં હાલ ચોમાસાની સિસ્ટમ સક્રિય છે ત્યારે કડકા ભડાકા સાથે અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. વાદળોના ઘર્ષણ થવાથી પડતી વીજળી કારણે રાજ્યમાં માં છેલ્લા અઠવાડિયામાં 4 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે.

 

આ પણ વાંચો : KUTCH : લાંબા વિરામ બાદ કચ્છમાં મેઘરાજાનું આગમન, અંજારમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ પડ્યો

આ પણ વાંચો : GANDHINAGAR : એક જ દિવસમાં 23.68 લાખ લોકોનું રસીકરણ કરવા બદલ મુખ્યપ્રધાને આરોગ્યકર્મીઓને અભિનંદન પાઠવ્યા

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">