TV9 Exclusive : વલસાડમાં યુવતી આત્મહત્યા કેસમાં સંસ્થા ઓએસીસના સંચાલકોની ભૂમિકા શંકાના દાયરામાં

ઓએસીસ સંસ્થાની મેન્ટર વૈષ્ણવીએ યુવતીની ડાયરીના છેલ્લા અડધા પાનાનું લખાણ મોબાઈલથી ફોટો પાડી સંસ્થાના ટ્રસ્ટીઓને વોટ્સઅપથી મોકલેલ હોવાનું પણ સામે આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 6:48 PM

ગુજરાતના(Gujarat)વડોદરામાં(Vadodara)થયેલ રેપ(Rape)અને ત્યાર બાદ વલસાડમાં(Valsad)યુવતીએ કરેલી આત્મહત્યાના(Suiside)કેસમાં રોજ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં વલસાડ રેલવે પોલીસે નોંધેલ FIRની કેટલીક મહત્વની માહિતી TV9 પાસે છે. જેમાં યુવતીની સંસ્થા ઓએસીસના સંચાલકોની ભૂમિકા શંકાના દાયરામાં હોવાનું સામે આવ્યું છે.

જેમાં પોલીસની અલગ અલગ એજન્સીઓની તપાસમાં ઓએસીસની સંસ્થાના સંચાલકો અને સ્ટાફ શંકાના દાયરામાં છે. તેમજ યુવતીની ડાયરીના કેટલાક પાના સંસ્થા માટે હિત ધરાવતી વ્યક્તિ દ્વારા ફાડવામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવ્યા છે. જેમાં સંસ્થાની મેન્ટર વૈષ્ણવીએ યુવતીની ડાયરીના છેલ્લા અડધા પાનાનું લખાણ મોબાઈલથી ફોટો પાડી સંસ્થાના ટ્રસ્ટીઓને વોટ્સઅપથી મોકલેલ હોવાનું પણ સામે આવ્યું છે.

તેમજ વોટ્સઅપથી પાડેલ ડાયરીનો ફોટો ડિલીટ કર્યો હોવાની વિગત પણ સાંપડી છે. જ્યારે ભોગ બનનાર યુવતી જે સાયકલ વાપરતી હતી તે સાયકલ અંગે પણ ટ્રસ્ટીઓ દ્વારા કોઈ જ માહિતી આપવામાં આવી રહી નથી. તેથી પુરાવાઓ નાશ કરવાની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જેમાં હાલ તો વલસાડ રેલવે પોલીસ મથકે IPC 376 D, 306, 365, 342, 323, 201 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

વલસાડ પોલીસે જે કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તેની વ્યાખ્યા

376(d) ગેંગ રેપ , 365 અપહરણ અને ખોટી રીતે કેદ , 323 ગંભીર ઇજા પહોંચાડવી , 306 આત્મહત્યા માટે ઉશ્કેરણી, 342 ખોટી રીતે કેદ , 201 પુરાવાનો નાશ કરવો

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના વધતા કેસો અંગે આરોગ્ય મંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન

આ પણ વાંચો :  અમદાવાદ : સાબરમતીમાં વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, સજાતિય સંબંધમાં આવેલી ખટાશ બન્યું મોતનું કારણ

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">