Banaskantha : મ્યુકરમાઈકોસીસના કેસ શોધવા, કોરોનાથી સાજા થયેલા તમામ દર્દીઓની તપાસ

Banaskantha : બનાસકાંઠા જિલ્લામાંથી પણ મ્યુકરમાઈકોસીસના દર્દીઓ સામે આવતા, જિલ્લા વહીવટીતંત્રે કોરોનાથી સાજા થયેલા તમામે તમામ દર્દીઓનો સર્વે કરાવવાનું નક્કી કર્યુ છે. અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓનો હાથ ધરાયેલા સર્વેમાં મ્યુકરમાઈકોસીસના દસ શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા છે.

Banaskantha : મ્યુકરમાઈકોસીસના કેસ શોધવા, કોરોનાથી સાજા થયેલા તમામ દર્દીઓની તપાસ
મ્યુકરમાઈકોસીસના દર્દીઓ શોધવા, બનાસકાઠામાં ઘરે ઘરે જઈને કરાઈ રહી છે તપાસ
Follow Us:
| Updated on: Jun 01, 2021 | 8:36 AM
Banaskantha : ગુજરાતમાં ચિંતાજનક રીતે વધી રહેલા મ્યુકરમાઈકોસીસના દર્દીઓને લઈને બનાસકાંઠાનું વહીવટી તંત્ર ચિતીત થઈ ગયુ છે. બનાસકાંઠા જિલ્લામાંથી પણ મ્યુકરમાઈકોસીસના દર્દીઓ સામે આવતા, જિલ્લા વહીવટીતંત્રે કોરોનાથી સાજા થયેલા તમામે તમામ દર્દીઓનો સર્વે કરાવવાનું નક્કી કર્યુ છે. અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓનો હાથ ધરાયેલા સર્વેમાં મ્યુકરમાઈકોસીસના દસ શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા છે.
કોરોના મહામારી બાદ  મ્યુકરમાઈકોસીસના કેસ સૌથી મોટી સમસ્યા છે. જેને લઇને હવે બનાસકાંઠા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. જિલ્લાના તમામ તાલુકા મથકોએ આરોગ્યની ટીમો, જે દર્દીઓ કોરોના પોઝિટિવ  થયા બાદ સાજા થઈ ગયા હોય તેમને મ્યુકરમાઈકોસીસના કોઈ પ્રાથમિક લક્ષણો છે કે કેમ તેને લઈ તપાસ હાથ ધરી છે.
આરોગ્યની ટીમ દર્દીઓના ઘરે ઘરે જઈ સર્વે કરી રહી છે. જેના કારણે પ્રથમ  તબક્કામાં જ મ્યુકરમાઈકોસીસના  કેસને ઝડપી શકાય. બનાસકાંઠા જિલ્લામાં સરકારી ચોપડે,  9000 જેટલા કોરોનાના દર્દીઓ નોંધાયા હતો. આ આંકડા મુજબ અત્યાર સુધી 30 થી વધુ મ્યુકરમાઈકોસીસ ના કેસ સામે આવી ચુક્યા છે.
જેથી કોરોના પોઝીટીવ તમામ લોકોના ઘર પર જઈ આરોગ્યની ટીમ તેમને કોઈ દર્દીને મ્યુકરમાઈકોસીસના પ્રાથમિક લક્ષણ છે કે કેમ તેને લઈ તપાસ કરી રહી છે. જેની મોટી સફળતાએ છે કે  તપાસ ટીમ દ્વારા તપાસ કરતા એવા 10 દર્દીઓ મળી આવ્યા. જેને પ્રથમ સ્ટેજમાં મ્યુકરમાઈકોસીસના લક્ષણો હતા. પરંતુ દર્દીઓને તેની ખબર ન હતી. આવા લોકોને સારવાર આપવાનું શરૂ કર્યુ છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">