લ્યો બોલો ! શ્રવણ તીર્થ યાત્રાના નામે લાખોની ઠગાઈ, ભાજપ મહિલા કાર્યકરના પુત્ર સામે નોંધાઈ ફરિયાદ

500થી વધુ મહિલાઓ પાસેથી રૂપિયા લઇ તીર્થ યાત્રા ન કરાવીને છેતરપિંડી કરી હતી. આ સમગ્ર મુદ્દે ભાજપ મહિલા કાર્યકરના પુત્ર અજય લુણાગરિયા છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2023 | 2:14 PM

લોકો ધાર્મિક યાત્રાના નામે પણ લાખોની ઠગાઈ કરતા અચકાતા નથી. તાજેતરમાં સુરતમાં શ્રવણ તીર્થ યાત્રાના નામે છેતરપીંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. 500થી વધુ મહિલાઓ પાસેથી રૂપિયા લઇ તીર્થ યાત્રા ન કરાવીને છેતરપિંડી કરી હતી. આ સમગ્ર મુદ્દે ભાજપ મહિલા કાર્યકરના પુત્ર અજય લુણાગરિયા છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી

આરોપી અજય લુણાગરિયા વૉર્ડ નંબર 15ની મહિલા મોરચાની કારોબારી સભ્યનો પુત્ર છે.આપને જણાવી દઈએ કે, 500થી વધુ ભોગ બનેલી મહિલાઓ અને વૃદ્ધોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. હાલ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી અજયે અન્ય લોકોને પણ છેતરપિંડીના શિકાર બનાવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.

આ પહેલા જામનગર શહેરમાં 1 હજાર જેટલા લોકોને ધાર્મિક યાત્રામાં હરિદ્વાર લઈ જવાનું કહીને છેતરપીંડી આચરી હોવાની ઘટના સામે આવી હતી. ભાવનાબેન નામના આયોજક દ્વારા 1 હજારથી વધુ લોકો પાસે 3100 રૂપિયા ઉઘરાવીને હરિદ્વાર કથામાં લઈ જવાનું આયોજન કરાયું હતું. બાદમાં ટ્રેનમાં ટિકીટ ના મળતી હોવાના બહાના બતાવી યાત્રા રદ કરી નાખી. તેમજ રિફંડ આપવા માટે પણ ઠાગાઠૈયા કરતા ભોગ બનેલા લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

(વીથ ઈનપૂટ- બલદેવ સુથાર, સુરત)

Follow Us:
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
g clip-path="url(#clip0_868_265)">