ST અમારી, કેટલી સલામત સવારી? ચાલુ બસમાં નીકળી ગયું ટાયર, 30 થી વધુ મુસાફરોના જીવ ચોંટ્યા તાળવે
દાહોદથી દેવગઢબારીયા જતી બસમાં અકસ્માત સર્જાયો છે. બસનું ટાયર નીકળી જતા મુસાફરો ઘભારાઈ ગયા હતા. જો કે સદનશીબે કોઈ જાનહાની થઈ નથી.
Dahod: જિલ્લામાં દેવગઢબારીયા જતી બસનો અકસ્માત સામે આવ્યો છે. શ્વાસ થંભાવી દે એવા આ અકસ્માતમાં ચાલુ બસે ટાયર નીકળી ગયું હતું. જી હા દાહોદથી દેવગઠબારીયા જતી ST ની મીની બસનું ટાયર નીકળ્યાના અહેવાલ સામે આવ્યા છે. આ અકસ્માતમાં સારી વાત એ છે કે કોઈ મોટું નુકસાન નથી થયું.
ચાલુ બસમાં ટાયર નીકળી જતા બસે કંટ્રોલ ઘુમાવ્યો હતો. અને ઘટના સમયે અંદર બેસેલા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ એસટી બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા. બસનું ટાયર હાઇવે ઉપર જતા મોટરસાયકલને અથડાયું હતું. અને આ ચાલક પડ્યો હતો. સદનસીબે કોઈ મોટી જાન હાની નહી થઇ હોવાના હાલ અહેવાલ આવ્યા છે.
જાહેર છે કે ST નું સ્લોગન છે, ST અમારી, સલામત સવારી ત્યારે વારંવાર આવી ઘટનાઓ આ સ્લોગન પર જ સવાલો ઉભા કરે છે. દર વર્ષે ઘણા અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ચાલુ બસમાં ટાયર નીકળી જવાની પણ અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. આવામાં ST ની સવારી કેટલી સલામત, એ મોટો પ્રશ્ન છે.
આ પણ વાંચો: રાજ્ય સરકારની કોલેજોના પ્રોફેસરોને દિવાળી ભેટ, કોરોના હળવો થતા લંબાવાયું દિવાળી વેકેશન, જાણો વિગત