26 january પરેડમાં ચમકશે મોઢેરાનું સુપ્રસિદ્ધ સુર્યમંદિર, ટેબ્લો સ્વરૂપે મંદિરની ઝાંખી રજૂ કરાશે
દેશના પ્રજાસત્તાક દિવસ 26 januaryનાં રોજ યોજાનારી ગણતંત્ર દિવસની પરેડમાં રાજ્યના સુપ્રસિદ્ધ સુર્ય મંદિર ( Sun Temple) નો ટેબ્લો જોવા મળશે.
દેશના પ્રજાસત્તાક દિવસ 26 januaryનાં રોજ યોજાનારી ગણતંત્ર દિવસની પરેડમાં રાજ્યના સુપ્રસિદ્ધ સુર્ય મંદિર ( Sun Temple) નો ટેબ્લો જોવા મળશે. મહેસાણાના મોઢેરામાં આવેલું પ્રસિદ્ધ સુર્યમંદિર ( Sun Temple) બેજોડ કલાકૃતિ માટે પ્રખ્યાત છે. આ સૂર્યમંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઇસ ૧૦૨૬-૧૦૨૭માં કર્યું હતું.આ સ્થાન પહેલાં સીતાની ચૌરી અને રામકુંડ તરીકે જાણીતું હતું.હાલના સમયમાં આ મંદિરમાં પૂજા થતી નથી.આ મંદિર ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરાયેલું છે.