surendranagar : પાટડીમાં ધાર્મિક કાર્યક્રમમાં લોકો ઉમટયાં, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી શહેરમાં. અહીં, એક ધાર્મિક વિધિના કાર્યક્રમમાં લોકો ઉમટયાં હતા. અને, આ કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયાં હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 5:15 PM

surendranagar : કોરોનાની બીજી લહેર મંદ પડતાની સાથે જ લોકો ભીડ કરી રહ્યાં છે. લોકો ભૂલી ગયા છેકે હજુ ત્રીજી લહેરની સંભાવના છે. ત્યારે આવો જ એક બનાવ સામે આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી શહેરમાં. અહીં, એક ધાર્મિક વિધિના કાર્યક્રમમાં લોકો ઉમટયાં હતા. અને, આ કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયાં હતા. સાથે જ ડીજેના તાલે લોકો નાચ્યાં પણ હતા. આ બનાવ પાટડી પોલીસ મથકથી 300 મીટરના અંતરે ભીડ થઇ હતી. આમ છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી થઇ ન હતી. નોંધનીય છેકે રોડ ઉપર કલાકો સુધી ભીડના કારણે રાહદારીઓ પરેશાન થયા હતા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">