Surat: શહેરમાં મ્યુકોરમાઇકોસિસનો કહેર યથાવત, મ્યુકોરમાઇકોસિસના નવા 6 દર્દી દાખલ એક દર્દીનું મોત

સુરતમાં મ્યુકોરમાઇકોસિસનો (Mucormycosis) કહેર યથાવત છે. મ્યુકોરમાઇકોસિસના નવા 6 દર્દી દાખલ થયા તો એક દર્દીનું મોત થયું છે.

| Updated on: May 27, 2021 | 10:44 AM

સુરતમાં મ્યુકોરમાઇકોસિસનો (Mucormycosis)કહેર યથાવત છે. મ્યુકોરમાઇકોસિસના નવા 6 દર્દી દાખલ થયા તો એક દર્દીનું મોત થયું છે. હાલ સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે 179 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધી 7 દર્દીઓની આંખો કાઢી લેવાઇ છે. મ્યુકોરમાઇકોસિસે અત્યાર સુધી કુલ 22 દર્દીઓનો ભોગ લઇ લીધો છે અને 25 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે.

મહત્વનું છે કે, આ આંકડા તો સરકારી હોસ્પિટલોના છે. ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓની વિગત તો મનપા આપતું પણ નથી.

રાજ્યમાં કોરોના (Corona)નાં કેસો ઘટયા પણ મ્યુકોરના કેસોમાં ઉછાળો આવ્યો છે. ગુજરાતના ૬ શહેર-જિલ્લામાં બુધવારે મ્યુકોરમાઇકોસિસના ૭૯ નવા કેસ સાથે ૫ દર્દીના મોત નિપજ્યાં છે. જો કે રાજકોટમાં ૪૦૦ જેટલા મ્યુકોરના દર્દીઓ ઓપરેશન માટે વેઇટીંગમાં છે.

વડોદરા શહેરમાં બુધવારે મ્યુકરના ૨૨ નવા કેસ સાથે એક દર્દીનું મોત થયું છે. વડોદરામાં અત્યારસુધી કુલ ૨૮૦ કેસ થયાં છે. વલસાડ જિલ્લામાં એક નવા કેસ સાથે બે દર્દીના મોત થયા છે. તેની સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા ૨૩ અને મૃત્યુ આંક ૭ થયો છે. અમદાવાદ સિવિલમાં મ્યુકરના વધુ ૨૫ કેસ નોંધાયા છે.

ઉપરાંત વધુ એક દર્દીનું મોત થયું છે. તેની સાથે હાલ સિવિલમાં કુલ દાખલ દર્દીની સંખ્યા ૪૭૧ થઇ છે. એટલે અત્યાર સુધીમાં સિવિલના કુલ દર્દીનો આંકડો ૭૫૦ ને પાર થયો છે. રાજકોટમાં મ્યુકરના વધુ ૧૭ નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા ૬૦૦ ની સપાટીને વટાવી ગઇ છે. જ્યારે ૪૦૦ જેટલા મ્યુકોરના દર્દીઓ ઓપરેશન માટે વેઇટીંગમાં છે.

જો કે રાજકોટ સિવિલમાં પાંચ ઓપરેશન થિયેટરો કાર્યરત હતા. હવે વધુ બે ઓપરેશન થિયેટરનો વધારો કરાયો છે. જામનગરમાં પણ બ્લેકફંગસના વધુ ૪ નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા ૧૨૪ થઇ છે.

અમદાવાદમાં મ્યુકોરમાઈકોસીસના દર્દીઓ વધી રહ્યા છે. જેમાં એ ખાસ જોવાયું છે કે 80 ટકા લોકોને કોરોના થયા બાદ આ રોગ લાગુ પડ્યો છે અને આ તમામને સ્ટીરોઈડ અપાયું હતું. માત્ર અસારવા સિવિલની જ વાત કરીએ તો હાલમાં અહીં 335 દર્દી દાખલ છે.

અત્યાર સુધી 650 દર્દી દાખલ થયા છે, જ્યારે 80 ટકાએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી છે, જેમાંથી 80 ટકાને સ્ટીરોઇડ અપાયુ હતુ તો 90 ટકા લોકોએ કહ્યું કે તેઓ કોરોના બાદ દાખલ થયા હતા. એમાંથી 10 ટકા દર્દીઓ એવા હતાં જેઓ ઘરે રહ્યા હતાં છતાં તેમને મ્યુકોરમાઈકોસીસ થયો છે. એટલે કે કોરોનાથી બચી ગયા તો હવે આ નવી વ્યાધિમાં ફસાયાની લાગણી દર્દીઓ અનુભવી રહ્યા છે.

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">