Surat : પાટીદાર અગ્રણી ધીરુ ગજેરા શનિવારે ફરી ભાજપમાં જોડાશે, મોટી સંખ્યા સમર્થકો પણ કરશે ભાજપમાં ઘરવાપસી

જેમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ધીરૂ ગજેરાનું કેસરિયો ખેસ પહેરાવીને સ્વાગત કરશે. પાટીદાર અગ્રણી ધીરૂ ગજેરા સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ભાજપમાં ઘરવાપસી કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2021 | 12:42 PM

સુરત(Surat)ના પાટીદાર અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિ ધીરૂ ગજેરા(Dhiru Gajera)કોંગ્રેસનો સાથ છોડીને ફરી એકવાર શનિવારે ભાજપમાં જોડાશે. જેમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ધીરૂ ગજેરાનું કેસરિયો ખેસ પહેરાવીને સ્વાગત કરશે. પાટીદાર અગ્રણી ધીરૂ ગજેરા સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ભાજપમાં ઘરવાપસી કરશે. ધીરૂ ગજેરા અગાઉ ભાજપમાંથી ધારાસભ્ય પદે રહી ચુક્યા છે. મૂળ જનસંઘ સમયથી જ સક્રિય ધીરૂ ગજેરા 1995થી 2007 સુધી ભાજપમાં જોડાયેલા રહ્યાં. જેની બાદ કોંગ્રેસમાં જોડાયા અને વિધાનસભા અને લોકસભા મળીને સતત ચાર ચૂંટણીમાં પરાજીત થયા હતા.

આ પણ વાંચો : બાપ..રે..! શાહિદની પત્ની મીરા રાજપૂતે કરાવી લિપ સર્જરી? તસ્વીરો જોઈને ફેન્સ રહી ગયા હેરાન

આ પણ વાંચો : Goa Breaking News: ભારે વરસાદ વચ્ચે દૂધ સાગર અને સોનૌલીમ વચ્ચે ભૂસ્ખલનથી પેસેન્જર ટ્રેન પાટા પરથી નીચે ઉતરી, તમામ યાત્રીઓ સુરક્ષિત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">