સુરત : સરથાણા બેંક મેનેજરના આપઘાત કેસમાં 3 લોકોની ધરપકડ કરાઈ, જુઓ વીડિયો

સુરત : સરથાણા બેંક મેનેજરના આપઘાત કેસમાં 3 લોકોની ધરપકડ કરાઈ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 16, 2024 | 11:12 AM

સુરત: સરથાણા બેંક મેનેજરના આપઘાતનો મામલે પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો છે. આ મામલે સરથાણા પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે. રજની ગોયાણી, રોનક હિરપરા અને જીગ્નેશ જીયાણી નામના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

સુરત: સરથાણા બેંક મેનેજરના આપઘાતનો મામલે પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો છે. આ મામલે સરથાણા પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે. રજની ગોયાણી, રોનક હિરપરા અને જીગ્નેશ જીયાણી નામના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

સુસાઈડ નોટમાં બેન્ક મેનેજરે આ ત્રણેય વ્યક્તિઓ સામે સીધો આક્ષેપ કર્યો હતો. અંતિમ ચિઠ્ઠીમાં રજની ગોયાણી, રોનક હિરપરા અને જીગ્નેશ જીયાણી નામના વ્યક્તિઓ ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે આ લોકોના ત્રાસથી કંટાળી 32 વર્ષીય અતુલ ભાલાળાએ આપઘાત કર્યો હતો. ઘટનાની પોલીસ ચોપડે નોંધ કરી સરથાણા પોલીસે તપાસ હાથ ધરી હતી જેણે હવે આરોપીઓની ધરપકડ શરૂ કરી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો