Gandhinagar : પત્ની ગુમ થવાના કેસમાં વડોદરાના પીઆઇ અજય દેસાઇનો ગુરુવારે એફએસએલ ખાતે નાર્કો ટેસ્ટ કરાશે

પોલીસ એસઓજી પીઆઈ અજય દેસાઈને લઈ વડોદરા પોલીસ એફએસએલ પહોચી છે. જેમાં વડોદરા SOG પીઆઈ અજય દેસાઈનો ગુરુવારે નાર્કો ટેસ્ટ થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 12:42 PM

વડોદરા(Vadodara) ના એસઓજી પીઆઇ અજય દેસાઇનો  ગુરુવારે  ગાંધીનગર એફએસએલ(FSL )  ખાતે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. જેને પગલે પોલીસ એસઓજી પીઆઈ અજય દેસાઈને લઈ વડોદરા પોલીસ એફએસએલ પહોચી છે. જેમાં વડોદરા SOG પીઆઈ અજય દેસાઈનો ગુરુવારે નાર્કો ટેસ્ટ થશે. વડોદરાના એસઓજી પીઆઇ અજય દેસાઇનો આ અગાઉ પોલીગ્રાફી અને SDS ટેસ્ટ કરવામા આવ્યા હતા. આ દરમ્યાન અમદાવાદ ક્રાઇમ બ્રાંચના ACP ડી પી ચુડાસમા પણ FSLપહોચ્યા છે. જેમાં સ્વીટી પટેલ ગુમ થવાની તપાસ ક્રાઈમ બ્રાંચના એસીપી ડી પી ચુડાસમા કરી રહ્યા છે. જ્યારે અગાઉ થયેલા બન્ને રિપોર્ટની પોલીસ રાહ જોઈ રહી છે. તેમજ નાર્કો ટેસ્ટ બાદ સ્વીટી પટેલના ગુમ થવા અંગે નવા વળાંક આવી શકે તેમ છે.

આ પણ વાંચો : Monsoon Session 2021: સંસદના ચોમાસુ સત્રમાં આજે મહત્વના બિલ રજુ થવાની સંભાવના

આ પણ વાંચો : દેવી-દેવતાઓને સમર્પિત છે સપ્તાહનો દરેક દિવસ, જાણો ક્યા દિવસે કયું કાર્ય કરવું રહેશે શુભ ?

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">