Surat: કેસ ઘટતા હોવા છતાં લોકોને સાવચેતી રાખવા મ્યુનિસિપલ કમિશનરની અપીલ, કહ્યું ‘ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટથી થઈ રહ્યુ છે કામ’

સુરત મ્યુનસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યુ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 225થી વધારે ધન્વંતરી રથ અને 130 સંજીવની રથના માધ્યમથી કામગીરી કરવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 1:20 PM

ગુજરાતમાં કોરોનાના કેસ ભલે ઘટી રહ્યા હોય, પરંતુ કોરોના (Corona)નું સંકટ યથાવત છે. સુરતમાં પણ કોરોનાના કેસમાં ધીરે ધીરે ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે કેસ ઘટવા છતાં સાવચેતી રાખવાની ખૂબ જરુર હોવાનું સુરત મ્યુનસિપલ કમિશનર (Surat Municipal Commissioner) બંછાનિધી પાની (Banchhanidhi pani)એ નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે ગાઈડલાઈનના પાલનથી જ કોરોના કેસમાં ઘટાડો નોંધાશે.

સુરત સહિત ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર ધીમી પડી રહી છે. થોડા દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આમ છતાં સુરત મ્યુનસિપલ કમિશનર બંછાનિધી પાનીએ લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે કોરોના ટેસ્ટિંગની સામે કોરોના પોઝિટીવ આવતા દર્દીઓમાં ઘટાડો જોવા મળ્યો છે. અલગ-અલગ ઓપીડીમાં આવતા દર્દીઓની સંખ્યા પણ ઘટી છે. તેમણે કહ્યું કે આમ છતાં લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે.

સુરત મ્યુનસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યુ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 225થી વધારે ધન્વંતરી રથ અને 130 સંજીવની રથના માધ્યમથી કામગીરી કરવામાં આવે છે. સાથે સાથે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની પદ્ધતિથી કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ત્રીજીલહેરમાં જે લોકોએ રસી લીધી છે તેમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી પડી. જે લોકોએ રસી ન લીધી હોય તેવા લોકોને જ હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી છે.

સુરત મ્યુનસિપલ કમિશનર બંછાનિધી પાનીએ એમ પણ જણાવ્યુ કે બાળકોમાં કોરોના કેસની સંખ્યા ઘટી રહી છે. પરંતુ માતા-પિતાએ પોતે અને બાળકોની સાવચેતી રાખવાની જરૂર છે.

આ પણ વાંચો- Winter 2022: કાતિલ ઠંડીથી ઠુઠવાવા રહેજો તૈયાર, અમદાવાદમાં બે દિવસ કોલ્ડવેવ, કચ્છ-નલિયામાં સિવિયર કોલ્ડવેવ રહેશે

આ પણ વાંચો- Budget 2022: આ બજેટમાં સુરત માટે ટેક્સ્ટાઈલ પાર્કની જાહેરાતની વેપારીઓને અપેક્ષા, બે જગ્યાનું પ્રપોઝલ મુકાયું

Follow Us:
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">