Gujarat માં મુખ્યમંત્રીની નિમણૂક બાદ મંત્રીમંડળમાં આવશે ધરખમ ફેરફારો

ગુજરાતના સીએમની નિમણૂક થયા બાદ મંત્રી મંડળમાં ધરખમ ફેરફારો આવશે. તેમજ ડેપ્યુટી સીએમ પદની પોસ્ટ દૂર કરવામાં આવે તેવી શક્યતા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 7:34 PM

ગુજરાત(Gujarat)માં ભાજપ દ્વારા નવા સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલના(Bhupendra Patel)નામ પર આખરી મહોર મારી દેવામાં આવી છે. તેમજ ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો પણ કર્યો છે. આ દરમ્યાન સામે આવેલી માહિતી મુજબ સીએમની નિમણૂક થયા બાદ મંત્રી મંડળમાં ધરખમ ફેરફારો આવશે.

તેમજ ડેપ્યુટી સીએમ પદની પોસ્ટ દૂર કરવામાં આવે તેવી શક્યતા છે. જેમાં જયારે પાટીદાર સીએમ હોય ત્યારે નાયબ મુખ્યમંત્રીનું પદ પાટીદારને ના આપી શકાય. તેમજ અનેક મંત્રીઓના પોર્ટફોલિયામાં પણ મોટા ફેરફાર આવવાની શક્યતા છે.

આ દરમ્યાન ભારતીય જનતા પાર્ટી(BJP)વિધાયક દળના નેતા તરીકે નવ નિયુક્ત થયેલા ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલે(Bhupendra Patel)રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ને મળીને રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપ્રત કર્યો હતો.

આ અવસરે કાર્યકારી મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી(Vijay Rupani),ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, કેન્દ્રીય નિરીક્ષકો ભૂપેન્દ્ર યાદવ,નરેન્દ્રસિંહ તોમર,પ્રહલાદ જોશી તેમજ ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અગ્રણીઓ,સાંસદો અને રાજ્ય સરકારના કાર્યકારી મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, શનિવાર સાંજથી ગુજરાતના સીએમ તરીકે વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ નવા નામોની ચર્ચા ચાલી હતી. જો કે આખરે ભાજપ પાર્લમેન્ટરી બોર્ડે ગુજરાતના નવા સીએમ તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલના નામની પસંદગી કરી હતી. જેની જાહેરાત વિધાયક દળની બેઠકમાં કરવામાં આવી હતી.

આ પણ વાંચો : PM MODIએ પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ સાથે વાતચીતનો વીડિયો શેર કર્યો, કહ્યું ખેલાડીઓનું મનોબળ વધશે

આ પણ વાંચો : Gujarat ના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની પ્રથમ પ્રતિક્રિયા 

 

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">