AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ : શાહીબાગ વિસ્તારમાં મકાનની છત ધરાશાયી, છતના કાટમાળ નીચે 6 લોકો દટાયા

અમદાવાદ : શાહીબાગ વિસ્તારમાં મકાનની છત ધરાશાયી, છતના કાટમાળ નીચે 6 લોકો દટાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2024 | 10:42 PM
Share

શાહીબાગના નમસ્તે સર્કલ પાસે આવેલા એમ.જે. હાઉસના મકાનની છત ધરાશાયી થઈ છે. આ ઘટનામાં મકાનની છતના કાટમાળમાં 6 લોકો દટાઇ ગયા હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ લોકોમાં અફરતાફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે ફાયર વિભાગને ઘટનાની જાણ કરાતા ઘટનાસ્થળ પર પહોંચી છે.

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં એક મકાનની છત ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. શાહીબાગના નમસ્તે સર્કલ પાસે આવેલા એમ.જે. હાઉસના મકાનની છત ધરાશાયી થઇ છે. આ ઘટનામાં મકાનની છતના કાટમાળમાં 6 લોકો દટાઇ ગયા હોવાનું સામે આવ્યું છે.ઘટના બાદ લોકોમાં અફરતાફરીનો માહોલ સર્જાયો હતો.

ફાયર વિભાગને ઘટનાની જાણ કરાતા ઘટનાસ્થળ પર પહોંચી છે. ફાયર વિભાગે સ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરી છે. જો કે ફાયર વિભાગ પહોંચે તે પહેલા જ સ્થાનિકોએ દટાયેલા તમામ 6 લોકોને બહાર કાઢી લીધા હતા. ત્યાર બાદ 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.

આ પણ વાંચો AMTS બસમાં મુસાફરી જરાક સંભાળીને! ચાલકે ‘પીધેલી’ હાલતમાં સિગ્નલ સાથે અકસ્માત સર્જ્યો

g clip-path="url(#clip0_868_265)">