Rajkot : 95 લાખના તોડકાંડમાં કડક કાર્યવાહીના આદેશ અપાયા, ચાર પોલીસ કોન્સ્ટેબલોની બદલી

રાજકોટ(Rajkot) શહેર પોલીસમાં 95 લાખ તોડ કેસમાં DCP ઝોન-1પ્રવીણકુમાર મીણાએ તપાસ પૂર્ણ કરી રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં વિગત મુજબ અલતાફ પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તોડ કર્યો હોવાનો આક્ષેપ હતો. જેમાં અઢી માસ સુધી ચાલેલી ઈન્કવાયરીનો રિપોર્ટ ઇન્ચાર્જ પોલીસ કમિશનરને સુપ્રત કરવામાં આવ્યો હતો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 6:43 PM

રાજકોટમાં(Rajkot)  રૂપિયા 95 લાખના તોડકાંડમાં કડક કાર્યવાહીના આદેશ અપાયા છે. જેમાં ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે તોડકાંડમાં (Scam) સામેલ પોલીસકર્મીઓ સામે કાર્યવાહીના આદેશ કર્યા છે. તોડકાંડમાં સામેલ તત્કાલિન PI વી.કે. ગઢવીને નબળા સુપરવિઝન બદલ 6 મહિના સુધીના તમામ ભથ્થા વધારો બંધ કરી દેવાયો છે. તો PSI જેબલિયા અને 7 પોલીસ કોન્સ્ટેબલ સામે ખાતાકીય તપાસના આદેશ અપાયા છે.ઝોન 2ના DCP સુધીર દેસાઈ આ મામલે તપાસ કરશે..સાથે જ ચાર પોલીસ કોન્સ્ટેબલની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર પોલીસમાં 95 લાખ તોડ કેસમાં DCP ઝોન-1પ્રવીણકુમાર મીણાએ તપાસ પૂર્ણ કરી રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં વિગત મુજબ અલતાફ પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તોડ કર્યો હોવાનો આક્ષેપ હતો. જેમાં અઢી માસ સુધી ચાલેલી ઈન્કવાયરીનો રિપોર્ટ ઇન્ચાર્જ પોલીસ કમિશનરને સુપ્રત કરવામાં આવ્યો હતો. જેના પગલે ક્રાઇમ બ્રાન્ચના તત્કાલિન PSI જેબલીયા સહીત ટીમ સામે પગલાં લેવાય તેવી શક્યતા હતી. તેમજ દારૂકાંડમાં પકડાયેલ દેવા ધરેજીયા સામે પણ આ કેસમાં તપાસ થઇ શકે છે.

આ પણ વાંચો : Gujarat Assembly Election 2022 : કોંગ્રેસમાં જોડાવવાની અટકળો પર નરેશ પટેલે કરી આ સ્પષ્ટતા

આ પણ વાંચો : મહેસાણા-ઊંઝા હાઇવે પર રૂપેણ નદી પરનો બ્રિજ નમ્યો, બ્રિજનું કામ પૂરું થાય તે પહેલા જ બની ઘટના

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">