Rajkot: પાટીદારોનું સમાજની તરફેણમાં આધુનિક ચિંતન, 10 સમાજ શાસ્ત્રીના સથવારે જાણો કયો અગત્યનો નિર્ણય લેવાયો

આ ચિંતન શિબિર હેમુ ગઢવી હોલમાં (Rajkot News) શનિવારે યોજાઈ હતી. ચિંતન શિબિરમાં યુવક-યુવતીઓ અને માતા-પિતા હાજર રહ્યા હતા. જુના રિવાજોને સ્થાને આધુનિક વિચારસરણીને સ્થાન આપવા માટે યુવાનોના અભીપ્રાયો પણ લેવામાં આવ્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2022 | 4:23 PM

પાટીદાર સમાજની સમસ્યાઓ ઉકેલવા પાટીદારોની પહેલીવાર યોજાઈ ચિંતન શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં પાટીદાર સમાજની સમસ્યા જેમકે, દીકરા દીકરીના લગ્નમાં નડતી મુશ્કેલી, આર્થિક સધ્ધરતા હોવા છતા આપઘાતની ઘટના, વગેરે જેવા મુદ્દાઓનું ચિંતન કરવામાં આવ્યું. આ ચિંતન શિબિર હેમુ ગઢવી હોલમાં (Rajkot News) શનિવારે યોજાઈ હતી. ચિંતન શિબિરમાં યુવક-યુવતીઓ અને માતા-પિતા હાજર રહ્યા હતા.  જુના રિવાજોને સ્થાને આધુનિક વિચારસરણીને સ્થાન આપવા માટે યુવાનોના અભિપ્રાયો પણ લેવામાં આવ્યા. 1500 થી વધુ લોકોને ચિંતન માટે પ્રશ્નોતરી પૂછવામાં આવી હતી અને તેમાંથી તારણો પણ કાઢવામાં આવ્યા હતા.

દસ સમાજશાસ્ત્રીઓની ટીમ બનાવવામાં આવી

લગ્ન અંગેના વિવાદો ઉકેલવા 10 સમાજશાસ્ત્રીઓની ટીમ પણ બનાવવામાં આવી. આ ટીમ સગપણ નક્કી કરવામાં આવતી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં મદદ કરશે. પારીવારિક ઝઘડાનો ઉકેલ  શાંતિથી આવે એવો માર્ગ વિચારશે. તેમજ પરીવારનું કાઉન્સેલીંગ પણ કરશે. શિબિરમાં સગપણમાં દરમિયાન બંને કુટુંબો ઘરે નહી પણ બહાર કોઈ જગ્યાએ મળીને વાતચીત કરે તેના ઉપર પણ ભાર મુકવામાં આવ્યો.

આ ચિંતન શિબિરમાં સમાજના લોકોએ વિવિધ તારણો રજૂ કર્યા હતા જેમકે, ઉચ્ચ અભ્યાસ ધરાવતુ પાત્ર જોઈએ, દેખાવમાં બાંધ-છોડ નહી, ઓનલાઈન સગાઈનું પ્રચલન વધ્યુ, છોકરો વેલ સેટલ્ડ હોવો જોઈએ, સંયુકતની જગ્યાએ નાના અને વિભક્ત કુટુંબની પસંદગી. આવા બધા જ તારણોને ધ્યાને લઈને ચિંતન શિબિરમાં ચર્ચા કરવામાં આવી હતી અને આગામી સમયમાં આવા મુદ્દાઓનું પારીવારીક રીતે નિરાકરણ લાવી શકાય તેના પર ભાર મુકવામાં આવ્યો હતો.

Follow Us:
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">