RAJKOT : ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર-2 ડેમ ઓવરફ્લો થયો

Rain in Rajkot : ભાદર-2 ડેમ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ડેમ ગણવામાં આવે છે. ભાદર-2 ડેમ ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણાના 68 ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 7:36 PM

RAJKOT :રાજકોટમાં ભારે વરસાદને પગલે ધોરાજી તાલુકાના ભુખી ગામ નજીક આવેલા ભાદર-2 ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થતા ભાદર-2 ડેમ ઓવરફળો થયો છે. ભાદર-2 ડેમ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ડેમ ગણવામાં આવે છે. ભાદર-2 ડેમ ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણાના 68 ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. ભાદર-2 ડેમના 8 દરવાજા સાડા નવ ફૂટ ખોલવામાં આવ્યાં છે. ભાદર-2 ડેમમાં હાલ 92,000 કયુસેક પાણીની આવક અને જાવક થઇ રહી છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભાદર નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે.

તંત્રએ ભાદર-2 ડેમના નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે, જેમાં ભૂખી, ડુંમીયાણી, કુંડેલ, ઢાંક, લાટ, ભીમોરા સહીતના ગામોનો સમાવેશ થાય છે. તંત્રએ ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા અને પોરબંદરના કાંઠાના ગામોને પણ ભાદર નદીના પટ નજીક અવર-જવર ન કરવા સૂચના આપી છે. ભાદર-2 ડેમ ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણાનાને પીવાનું પાણી પૂરું પાડે છે.

રાજકોટ ગ્રામ્યમાંસારા વરસાદને કારણે ભાદર-2 ડેમ ઉપરાંત ન્યારી અને આજી-2 ડેમ પણ ઓવરફલો થયા છે. રાજકોટ ગ્રામ્યની સાથે રાજકોટ શહેરમાં પણ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. શહેરના રસ્તાઓ પર 4થી 5 ફૂટ સુધી પાણી ભરાઇ ગયા છે. શહેરના અલગ-અલગ વિસ્તારો જેવા કે પોપટપરા, રૈયા રોડ, તમામ જગ્યાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટ શહેરમાં મેઘતાંડવના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.

આ પણ વાંચો : JAMNAGARના કાલાવાડમાં ભારે વરસાદને પગલે NDRFનું દિલધડક રેસ્ક્યુ, જુઓ વિડીયો

Follow Us:
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">