ધોરાજીમાં તહેવારો સમયે જે ગરીબો રેશનના અનાજથી વંચિત, લલીત વસોયાની આંદોલનની ચીમકી

ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયાએ આક્ષેપ કર્યો છે કે ધોરાજીમાં 80 ટકા લોકોને રાશન નથી મળ્યું . તેમજ સરકારની અણઆવડતના કારણે અનાજ વિતરણમાં વિલંબ થઇ રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 10:58 PM

ગુજરાતમાં(Gujarat)રાજકોટના(Rajkot)ધોરાજીમાં  તહેવારો સમયે જે ગરીબોને(Poor)રેશનકાર્ડ (Ration Card) મારફતે અપાતો અનાજનો જથ્થો નહિ મળ્યો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. જેમાં ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયાએ(Lalit Vasoya) જો સમયસર અનાજ નહિ મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયાએ આક્ષેપ કર્યો છે કે ધોરાજીમાં 80 ટકા લોકોને રાશન નથી મળ્યું . તેમજ સરકારની અણઆવડતના કારણે અનાજ વિતરણમાં વિલંબ થઇ રહ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. તેમજ તેમણે તાત્કાલિક ધોરણે અનાજ વિતરણ વ્યવસ્થા ગોઠવવા ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર પણ લખ્યો છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે જો સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનથી ગરીબોને મળતું અનાજ વિતરણ શરૂ નહિ કરાઇ તો નવા વર્ષના બીજા દિવસથી ડેપ્યુટી કલેકટર કચેરી બહાર ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત અમદાવાદમાં(Ahmedabad)દિવાળીના(Diwali)તહેવારો સમયે જ ગરીબોનો(Poor)કોળિયો અટવાયો છે.જેમાં સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનમાંથી વિતરીત કરવામાં આવતો ગરીબો માટેનું અનાજ હજુ સુધી તેમના સુધી પહોંચ્યું નથી. હાલના સમયમાં આ હકદાર ગરીબોને અનાજ જરૂર છે. તેવા સમયે દર વખતની જેમ આ વખતે સર્વરના ધાંધિયાથી તેમના સુધી અનાજ નથી પહોંચી શક્યું નથી.

જેના લીધે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યારે ગરીબો અનાજ લેવા પહોંચે છે તો તેમને કૂપન નથી મળી રહી. કૂપન ન મળવાનું કારણ એ છે કે ઓનલાઈન સર્વરમાં નવેમ્બર માસનો અનાજનો સ્ટોક શૂન્ય દર્શાવે છે.. આ સર્વર ગાંધીનગરથી ઓપરેટ થાય છે.. સર્વરમાં કોઈ ખામી હોય કે પછી ભૂલ છે તેનો ભોગ અત્યારે ગરીબો બન્યા છે.. દુકાનદારો કૂપન જનરેટ ન કરી શકતા હોવાથી ગરીબોને અનાજ નથી મળી શક્યું.

આ પણ વાંચો : ગુજરાતમાં નવા વર્ષથી રિક્ષાભાડામાં વધારો ઝીંકાયો, હવે મિનિમમ ભાડું 18 રૂપિયા થશે

આ પણ વાંચો : દિવાળી પૂર્વે વતન જવા અમદાવાદ એસ. ટી. સ્ટેન્ડે ભારે ભીડ, એકસ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">