રાજકોટના ગોંડલમાં કાર અને એસ. ટી. બસ વચ્ચે અકસ્માત, પાંચના મોત
ગોંડલમાં આ અકસ્માત ભોજપરા અને બિલિયાળા નજીક સર્જાયો હતો. આ સમગ્ર ઘટનામાં રાજકોટથી ગોંડલ જતી કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો.
ગુજરાતમાં (Gujarat) રાજકોટના (Rajkot) ગોંડલમાં (Gondal) એસ.ટી બસ અને કાર વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો છે. જેમાં પાંચ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં અને બે લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માત ભોજપરા અને બિલિયાળા નજીક સર્જાયો હતો. આ સમગ્ર ઘટનામાં રાજકોટથી ગોંડલ જતી કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો.
જો કે અકસ્માતની જાણ થતાં થતાં જ આસપાસના સ્થાનિકો લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ સ્થાનિક લોકોએ કારમાં ફસાયેલા લોકોને બહાર નીકાળયા હતા. તેમજ ફોન ફરીને 108 ને બોલાવવામાં આવી હતી. તેમજ આ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જો કે આ અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલાના પોસ્ટ મોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારમાં શોક છવાયો છે. જયારે આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશન રસીકરણને ઝડપી બનાવવા એક્શનમાં, ડોર ટુ ડોર સર્વે શરૂ
આ પણ વાંચો : અમદાવાદ : જુહાપુરાના કુખ્યાત બિલ્ડર નઝીર વોરાને પાસા હેઠળ ભુજ જેલમાં ધકેલાયો