કોરોનાથી સાજા થયેલા પરંતુ સારવારની જરૂરીયાતવાળા દર્દીઓ માટે, ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં શરૂ કરાયુ પોસ્ટ કોવિડ કેર સેન્ટર

જે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય અને તેમના ઘરે, ઓક્સિજન કન્સનટ્રેટરની વ્યવસ્થા ન હોય પરંતુ 5થી 10 લિટર ઓક્સિજનની આવશ્યકતા હોય તેવા દર્દીઓ પણ રજીસ્ટ્રેશન કરાવીને પોસ્ટ કોવિડ કેર સેન્ટરમાં દાખલ થઈ શકે છે.

કોરોનાથી સાજા થયેલા પરંતુ સારવારની જરૂરીયાતવાળા દર્દીઓ માટે, ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં શરૂ કરાયુ પોસ્ટ કોવિડ કેર સેન્ટર
ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં શરૂ કરાયુ પોસ્ટ કોવિડ કેર સેન્ટર
Follow Us:
| Updated on: May 27, 2021 | 5:35 PM

કોરોનાથી સાજા થયેલા દર્દીઓને શ્વાસની તકલીફ, શારીરિક અશક્તિ, માનસિક સ્થિતિ અંગેની તકલીફ હોય તેવા દર્દીઓને સારવાર આપવા માટે, અમદાવાદના ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં ( dhanvantari hospital ) પોસ્ટ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યુ છે. ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન ( DRDO ) અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના યુનિવર્સિટી કન્વેન્સન હોલમાં ( University Convention Hall ) 200 બેડનુ પોસ્ટ કોવિડ કેર સેન્ટર ( Post Covid Care Center ) શરુ કરાયુ છે.

કેવી રીતે કરાવશો રજીસ્ટ્રેશન કોરોના પછી સાજા થયેલા દર્દીઓ કે જેમને કેટલીક તકલીફ રહે છે તેવા દર્દીઓએ સારવાર કરાવવા માટે “ક્યુ.આર. કોડ” સ્કેન કરીને અથવા તો વેબસાઇટ પર મોબાઇલથી જ રજીસ્ટ્રેશન કરાવી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જે દર્દીઓને માત્ર ઓપીડી સારવારની જરૂર હોય તેવા દર્દીઓએ પણ રજીસ્ટ્રેશન કરાવવુ પડશે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા બિલકુલ સરળ અને સહેલી હોવાનું ફરજ પરના તબીબનું કહેવું છે.

કયા કરાવશો રજીસ્ટ્રેશન. ધન્વતરી પોસ્ટ કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે covidcare.dhanvantarihospital.in અથવા http://covidcare.dhanvantarihospital.in પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

જે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય અને તેમના ઘરે, ઓક્સિજન કન્સનટ્રેટરની વ્યવસ્થા ન હોય પરંતુ 5થી 10 લિટર ઓક્સિજનની આવશ્યકતા હોય તેવા દર્દીઓ પણ રજીસ્ટ્રેશન કરાવીને પોસ્ટ કોવિડ કેર સેન્ટરમાં દાખલ થઈ શકે છે.

પોસ્ટ કોવિડ કેર સેન્ટરમા ( Post Covid Care Center ) આવતા દર્દીઓને હળવુ પરંતુ આરોગ્યપ્રદ આહાર આપવામાં આવશે. સાથોસાથ ફિઝીયોથેરાપીસ્ટની દેખરેખ હેટલ હળવી શારીરિક કસતર કરાવડાવીને તેમને સાજા કરવામાં આવશે.

દેશના પાંચ શહેરમાં સૌથી મોટી હોસ્પિટલ DRDO કોવિડ હોસ્પિટલના નોડલ કર્નલ અરવિંદે કહ્યું કે, સમગ્ર દેશમાં આવી પડેલી કોરોના મહામારીમાં દેશની ત્રણેય સંરક્ષણ પાંખોના તબીબો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં કદમથી કદમ મીલાવીને રાઉન્ડ ધ ક્લોક કાર્ય કરી રહ્યા છે. દેશના મુખ્ય પાંચ શહેરોમાં કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. જેમાંની અમદાવાદમાં કાર્યરત કોવિડ હોસ્પિટલ સૌથી મોટી છે.

ભારતીય નૌકાદળના કેપ્ટન દોરાઇ બાબુએ, ધન્વંતરી હોસ્પિટલ ખાતેના અનુભવો વર્ણવતા કહ્યું કે, અમદાવાદ શહેરમાં તહેનાત તબીબોની ટૂકડીએ ગુજરાતના આરોગ્ય વિભાગ સાથે કામ કરીને , મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને મદદ રૂપ બની કોરોનાની સમગ્ર સ્થિતિ પર નિયંત્રણ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. જેમાં મહદઅંશે સફળતા મળી છે. જેનો અમને આનંદ છે.

ભારતીય નૌકાદળના કેપ્ટન મોહંતી એ કહ્યું કે, ખૂબ જ ટૂંકા ગાળામાં યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીને તમામ પ્રકારની શ્રેષ્ઠ સારવાર આપીને ગમે તે ભોગે તેમના જીવ બચાવવાના અમારા પ્રયત્નો રહ્યા છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">