Home Quarantin રહેલા કોરોના પોઝીટીવ અને સ્વજનો બહાર આંટા મારે છે, હોમકોરોન્ટાઇનના નિયમો કડક કરવાની ઉઠી માંગ

Home Quarantin માં હોવા છતાં બહાર નીકળનારા કોરોનાના સુપર સ્પ્રેડર બની શકે છે

| Updated on: Apr 17, 2021 | 3:48 PM

Home Quarantine  અંગે હવે ફરિયાદો સામે આવી રહી છે. દેશ અને રાજ્યમાં કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે. કેસો એટલા બધા વધી રહ્યા છે કે હોસ્પિટલમાં દાખલ કરવાની જગ્યા નથી મળી રહી. જે દર્દીઓને હોસ્પિટલમાં જગ્યા નથી મળતી તેમને ફરજિયાત Home Quarantine થવું પડે છે. બીજી બાજું સામાન્ય લક્ષણોવાળાને તંત્ર દ્વારા સામેથી જ હોમકોરોન્ટાઇનમાં રહીને સારવાર લેવાનું કહેવામાં આવી રહ્યું છે. પણ આ હોમકોરોન્ટાઇન સીસ્ટમ સામે પણ સવાલો ઉભા થયા છે.

કોરોના પોઝીટીવ અને સ્વજનો બહાર ફરી રહ્યા છે
કોરોના પોઝીટીવ આવેલા અને Home Quarantine માં રહીને એટલે કે ઘરમાં જ રહીને સારવાર લઇ રહેલા લોકો સામે તેમજ આવા લોકોના સ્વજનો એટલે કે પરિવારજનો સામે ફરિયાદો થઇ છે.હોમકોરોન્ટાઇનમાં રહેલા કોરોના પોઝીટીવ અને સ્વજનો ઘરની બહાર નીકળી આંટા મારે છે, ખરીદી કરવા પણ પહોચી જાય છે એવી પણ વિગતો પ્રાપ્ત થઇ છે. આવી સ્થિતિમાં કોરોના પોઝીટીવ અને તેના સ્વજનો સુપર સ્પ્રેડર બની શકે છે.

સુપર સ્પ્રેડર બને છે આવા લોકો
હોમકોરોન્ટાઇનમાં રહેલા કોરોના પોઝીટીવ અને તેના સ્વજનો ઘરમાં જ રહેવાની બદલે બહાર નીકળે ત્યારે તેઓ અનેક લોકોના સંપર્કમાં આવે છે. કોરોના સંક્રમણને રોકવા માટે માસ્ક અને સામાજિક અંતર સૌથી મોટા સાધનો છે. Home Quarantine માં રહેલા કોરોના પોઝીટીવ અને તેના સ્વજનો ઘરની બહાર નીકળે એટલે ઘણા લોકોના સંપર્કમાં આવવાથી કોરોના સંક્રમણ વધવાનું જોખમ અનેક ગણું વધી જાય છે અને આવા લોકો સુપર સ્પ્રેડર બની શકે છે. પરિણામે આખો રહેણાંક વિસ્તાર કંટેનમેન્ટ ઝોન બને છે અને તંત્રએ પ્રતિબંધો લગાવવા પડે છે. જેનો ભોગ સામાન્ય લોકો પણ બને છે જે કોરોના સંબંધી તમામ નિયમો પાળે છે અને સરકાર દ્વારા જાહેર કરવામાં  આવેલી ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરે છે. આથી Home Quarantine હોવા છતાં બહાર નીકળનારા કોરોના પોઝીટીવ અને તેના સ્વજનો સામે ફરિયાદો થઇ રહી છે.

CMO સુધી પહોચી ફરિયાદ, હોમકોરોન્ટાઇનના નથી કોઈ નિયમો
હોમકોરોન્ટાઇનમાં રહેલા કોરોના પોઝીટીવ અને તેના સ્વજનો બહાર નીકળવાની અનેક ફરિયાદો મળી રહી છે. આ ફરિયાદો સ્થાનિક પ્રશાસનથી લઈને હવે ચેક CMO એટલે કે મુખ્યપ્રધાનની ઓફીસ સુધી પહોચી છે. આના કારણે આજુબાજુમાં રહેતા લોકોમાં સંક્રમણ ફેલાવાનો ભય તો રહે જ છે. બીજું એક કારણ એ પણ છે કે હોમકોરોન્ટાઇનના કોઈ નિયમો નથી. આથી હવે હોમકોરોન્ટાઇનમાં રહીને સારવાર લઇ રહેલા દર્દીઓ અને તેના સ્વજનો માટે કડક નિયમો સાથેની ગાઈડલાઈન જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે.

Follow Us:
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">