અંબાજીમાં નવરાત્રીમાં ગરબાનું આયોજન પણ રદ, માત્ર દર્શન કરી શકાશે

અંબાજીમાં આ વખતે ગરબાને સતત બીજા વર્ષે પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. લોકોની ભીડ એકઠી થતી હોવાથી આ વર્ષે પણ ચાચરચોકમાં ગરબાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 8:12 AM

ગુજરાતની(Gujarat) શકિતપીઠ અંબાજીમાં(Ambaji) આ વર્ષે પણ ચાચરચોકમાં નવરાત્રીમાં (Navratri) ગરબાનો(Garba) કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે આસો વદ માસની નવરાત્રીની ખેલૈયાઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે અને તેમાં પણ માતાજીના સાનિધ્યમાં ચાચરચોકમાં થતા નવરાત્રીના ગરબાનું મહત્વ ભક્તોમાં ખુબજ છે.

પરંતુ આ વખતે ગરબાને સતત બીજા વર્ષે પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. લોકોની ભીડ એકઠી થતી હોવાથી આ વર્ષે પણ ચાચરચોકમાં ગરબાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. જે રીતે આ નવરાત્રી દરમ્યાન હજારો લોકો મંદિરમાં એકઠા થાય છે.

આ કારણે ગરબાનો કાર્યક્રમ જ રદ કરવામાં આવ્યો છે. નવરાત્રી દરમિયાન ભક્તો માતાજીના દર્શન કરી શક્શે. મંદિર રાબેતા મૂજબ ખુલ્લુ રહેશે.જેથી માતાજીના દર્શન ભક્તો કરી શકે.

ઉલ્લેખનીય છે કે, 15 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ 20 સપ્ટેમ્બર સુધી 5 થી 6 લાખ જેટલા જ યાત્રિકો અંબાજી આવ્યા હતા. આજ યાત્રિકો દ્વારા માતાજીના ભંડારમાં છૂટક દાન ભેટ નાખવામાં આવે છે. જોકે અંબાજી મંદિરમાં જેમ લોકો બાધા માનતા પુરી કરે છે.

ત્યારે માતાજીને ચાંદીથી બનેલા છત્તર, ત્રિશુલ, નાના ઘર જેવા અનેક આભૂષણો માતાજીને ધરાવી પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે. પણ મંદિરમાં મોટી સંખ્યામાં આવેલા આવા ચાંદીના આભૂષણોમાં 90 ટકા જેટલા આભૂષણો ખોટા જોવા મળ્યા છે.

જેને લઈ મંદિર ટ્રસ્ટએ પણ ચિંતા વ્યક્ત કરી છે. ને આવા આભૂષણોમાં છેતરાતા યાત્રિકોને ખરાઈ કરવા અપીલ કરવામાં આવી છે. એક તરફ ચાંદીના ભાવની ખોટા આભૂષણ ખરીદી માતાજીને અર્પણ કરે છે. જેનાથી મંદિરને પણ મોટી ખોટનો સામનો કરવો પડે છે.

જેથી યાત્રિકો આવા આભૂષણો કોઈપણ દુકાનથી ન ખરીદી ચોકસાઈવાળી દુકાનેથી ખરીદવા જોઈએ.

આ પણ  વાંચો: Ahmedabad: સિવિલ હોસ્પિટલના ઓપરેશન થિયેટરની દયનીય હાલત, કરોડોનો ખર્ચ વ્યર્થ

આ પણ વાંચો : AHMEDABAD : કોરોનામાં રોજી રોટી બંધ થઈ ગઈ, પણ નાબાર્ડ સહયોગ મેળાથી રોજગારીની તક મળવાની આશા જાગી

Follow Us:
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">