PATAN : ચાણસ્માના ભાટસર ગામે આઠમ નિમિત્તે બ્રહ્માણી માતાજીનો ભવ્ય પલ્લી મહોત્સવ ઉજવાયો

માતાજીની પલ્લીમાં આખું ગામ ઉમટી પડ્યું હતું.. માતાજીની પલ્લીનો મહિમા એટલો છે કે બહારગામથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 9:10 PM

PATAN : પાટણમાં ચાણસ્માના ભાટસર ગામે આઠમ નિમિત્તે બ્રહ્માણી માતાજીનો ભવ્ય પલ્લી મહોત્સવ ઉજવાયો. જેમાં 32 જેટલા વિવિધ ફૂલોના ગરબા અને 52 જેટલી માનતાની પલ્લી ભરાઈ.. માતાજીની પલ્લીમાં આખું ગામ ઉમટી પડ્યું હતું.. માતાજીની પલ્લીનો મહિમા એટલો છે કે બહારગામથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વર્ષોથી પરંપરાગત રીતે ચાલ્યા આવતા પલ્લી મહોત્સવમાં છોકરા અને ભાણીયા માટે માનતાની પલ્લી ભરવામાં આવતી હોય છે. ગ્રામજનો દ્વારા ખૂબ જ ધામધૂમથી બ્રહ્માણી માતાજીની પલ્લી કાઢવામાં આવી હતી.. ગામમાં પલ્લી મહોત્સવનું આયોજન પાટીદાર યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું..

ગાંધીનગરના રૂપાલ ગામમાં વરદાયી માતાજીની નવરાત્રીના નવમાં દિવસે પલ્લી નિકળતી હોય છે અને આ વર્ષે પણ પરંપરા જાળવી રાખવા નિયમોને આધિન માતાજીની પલ્લી નિકળશે. આ વખતે પલ્લીમાં માત્ર ગામના લોકોને જ લાભ મળશે. બહારના લોકોને પલ્લી યાત્રામાં પ્રવેશ નહિ મળે. જો કે મંદિરમાં રાબેતા મુજબ દર્શન થશે. તો આવતી કાલે રાત્રે 12 વાગ્યે ખાસ રથમાં નિયમોને આધીન પલ્લી નીકળશે.

બપોરે 12 વાગ્યે રથને વરદાયની મંદિર લાવવામાં આવશે. ગામના 27 ચકલામાં પલ્લી ફરશે. અને શનિવારે સવારે 6 વાગ્યે પલ્લીની પુર્ણાહુતી થશે. તેમજ કોરોનાને ધ્યાનમાં રાખીને પલ્લીમાં ધી ચડાવવાના રિવાજને બંધ રાખવાનું આ વર્ષે નક્કી કર્યું છે.

આ પણ વાંચો : SURAT : VNSGU યુનિવર્સિટી ગરબા વિવાદમાં ઉમરા પોલીસ સ્ટેશનના PI-PSIની બદલી, 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">