CR પાટીલે ટિકિટ ન મળતા નારાજ થઈ જતા નેતાઓના કાન પકડ્યા! ‘નેતાઓએ પણ કાર્યકર બનીને જ રહેવું જોઈએ’

CR પાટીલે પારડી વિધાનસભા બેઠકના ભાજપની પેજ કમિટીના સંમેલનમાં હાજરી આપી હતી. જ્યાં પાટીલે આડકતરી રીતે ટિકિટ ન મળતા નારાજ થઇ જતા નેતાઓના કાન પકડ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 8:11 AM

વાપીની મુલાકાતે પહોંચેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે ટકોર કરી છે. CR પાટીલે કહ્યું કે, નેતાઓએ પણ કાર્યકર બનીને જ રહેવું જોઈએ. મહત્વનું છે કે પાટીલે પારડી વિધાનસભા બેઠકના ભાજપની પેજ કમિટીના સંમેલનમાં હાજરી આપી હતી. પોતાના સંબોધનમાં પાટીલે ભાજપના પેજ કમિટી અને તેની તાકાત તેમજ ભાજપના સંગઠનની શક્તિ વિશે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. સીઆર પાટીલે કોઈપણ ચૂંટણી જીતવા એકલી લોકપ્રિયતા નહિ, પરંતુ સંગઠનની શક્તિ અને કાર્યકર્તાઓની ફોજ હોવી ખૂબ જ જરૂરી છે તેવું જણાવ્યું હતું.

પાટીલે નેતાઓ અને કાર્યકરોને આડકતરી રીતે ઈશારો કરીને કહ્યું, હવે ટિકિટ નહીં મળતા નારાજ થતાં કે પાર્ટી બદલતા નેતાઓએ પણ સમજવાની જરૂર છે. પાટીલે કહ્યું કે હવે પેજ કમિટીની તાકાત એટલી છે કે હવે કોઈ એક વ્યક્તિ નારાજ થાય તો પાર્ટીનું પરિણામ બદલાશે તેવું કોઈ વિચારી રહ્યું હોય તો એ ખોટું છે. નેતાઓએ પણ કાર્યકર્તા બનીને જ રહેવું જોઈએ.

પાટીલે આડકતરી રીતે ટિકિટ ન મળતા નારાજ થઇ જતા નેતાઓના કાન પકડ્યા છે. અને કહ્યું કે નેતાઓએ પણ કાર્યકર બનીને જ રહેવું જોઈએ. પ્રદેશ ભાજપ પ્રમુખના મતે ચૂંટણી જીતવા માટે કાર્યકરોની ભૂમિકા મહત્વની છે. પેજ કમિટીની તાકાત પર જ ચૂંટણીનું પરિણામ આવે છે.

 

આ પણ વાંચો: Surat: સ્પિચ આપતા આપતા ગૃહ રાજ્યમંત્રી થયા ભાવુક, કેમ આવ્યા હર્ષ સંઘવીની આંખોમાં હર્ષના આંસુ?

આ પણ વાંચો: ITR Filing : 31 ઓક્ટોબર સુધી કોઈપણ ચાર્જ વિના ફાઈલ કરી શકાશે Income Tax Return, જાણો કઈ રીતે?

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">