Banaskantha: પાલનપુર બ્રીજ ધરાશાયી થવાનો મામલો, સ્લેબના કાટમાળ નીચે દબાઈ જતા 2ના મોત
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં સોમવારે બપોરના ત્રણ વાગ્યાના અરસા દરમિયાન નિર્માણાધીન પુલનો સ્લેબ તુટી પડ્યો હતો. સ્લેબના 5 હિસ્સા તૂટીને જમીન પર પડતા કાટમાળ નિચે એક રિક્ષા અને એક ટ્રેક્ટર દટાઈ જવા પામ્યુ હતુ. રિક્ષાનો ચાલક સહિત 2 લોકો કાટમાળ નિચે દટાઈ જવાને લઈ મોતને ભેટ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં સોમવારે બપોરના ત્રણ વાગ્યાના અરસા દરમિયાન નિર્માણાધીન પુલનો સ્લેબ તુટી પડ્યો હતો. સ્લેબના 5 હિસ્સા તૂટીને જમીન પર પડતા કાટમાળ નિચે એક રિક્ષા અને એક ટ્રેક્ટર દટાઈ જવા પામ્યુ હતુ. રિક્ષાનો ચાલક સહિત 2 લોકો કાટમાળ નિચે દટાઈ જવાને લઈ મોતને ભેટ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. એક સીસીટીવી વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં એક યુવક બચાવ માટે દોટ લગાવતો હતો પરંતુ સ્લેબ પડતા તે દબાઈ જવા પામ્યો હતો.
આ પણ વાંચોઃ સાબલવાડનો યુવાન ખેડૂત ઘરમાંજ ઢળી પડતા મોત, હાર્ટએટેકથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો
ઘટનાને પગલે ક્લેકટર સહિત પોલીસના અધિકારીઓ સ્થળ પહોંચ્યા હતા. ઘટના બાદ તુરત જ માનસરોવર ફાટક વિસ્તારના માર્ગને બંધ કરીને બચાવ કામગીરી હાથ ધરવામા આવી છે. ઘટનામાં એક વ્યક્તિના મોતના સમાચાર આવ્યા હતા. ત્યારબાદ હાલમાં જ મળતા સમાચાર મુજબ વધુ એક વ્યક્તિનુ ઘટનામાં મોત નિપજ્યુ છે. આમ બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. ઘટનાને પગલે ગાંધીનગરથી પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર જવા નિકળ્યા છે. મુખ્યપ્રધાને પણ તપાસ અર્થે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને પાલનપુર પહોંચવા માટે આદેશ આપ્યા છે.
