રાજકોટ મહાનગરપાલિકાના આવાસ પર કબજાના કેસમાં હવે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ થશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે આવાસ હજી સુધી ફાળવવામાં નથી આવ્યાં, તેવા આવાસની માલિકી રાજકોટ મહાનગરપાલિકાની છે.
રાજકોટ મહાનગરપાલિકાએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંગે મહત્વનો નિર્ણય લીધો છે.રાજકોટ મહાનગરપાલિકાના આવાસ પર કબજાના કેસમાં હવે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે આવાસ હજી સુધી ફાળવવામાં નથી આવ્યાં, તેવા આવાસની માલિકી રાજકોટ મહાનગરપાલિકાની છે. આ પ્રકારના આવાસમાં કોઈ કબજો કરશે તો તે વ્યક્તિ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવશે.