સુરતીઓ માટે રાહતના સમાચાર , મેટ્રો સાથે સીટીબસ-BRTSની વ્યવસ્થા કનેક્ટ કરાશે

ભારતના અન્ય શહેરોમાં મેટ્રો માટે જે આયોજન કરાયું છે. તેના કરતાં વધુ સારૂ આયોજન સુરતમાં થાય તે માટેની તૈયારી સરકાર સાથે મ્યુનિ. તંત્રએ શરૂ કરી દીધી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 1:04 PM

સુરતીઓ માટે રાહતના સમાચાર છે. મુસાફરોને ટ્રાન્સપોર્ટેશનમાં ભોગવવી પડતી મુશ્કેલીનો હવે અંત આવશે. GMRCના અધિકારીઓએ જણાવ્યું કે સુરત મહાનગરપાલિકા સાથે સંકલન કરીને તમામ મેટ્રો સ્ટેશનની સાથે સીટી બસ, BRTS બસ સહિતની વ્યવસ્થા કનેક્ટ કરવામાં આવશે. એક જ ટિકિટના માધ્યમથી મેટ્રો, સીટી બસ, બીઆરટીએસ બસ વગેરેમાં મુસાફરી કરી શકાય તેવી સુવિધા અને વ્યવસ્થા ઉભી કરવાંમાં આવશે. મુસાફરોને માસ ટ્રાન્સપોર્ટેશનની પુરી સરળ સાઇકલ મળી રહે અને લોકો મહત્તમ તેનો ઉપયોગ કરતા થાય તે દિશામાં આ નિર્ણય કર્યો છે. જે રીતે શહેરમાં અન્ય વાહનોની સંખ્યા વધી રહી છે તેને જોતા ભવિષ્યમાં સુરત કોર્પોરેશનની આ સુવિધાથી લોકોને મુસાફરીમાં મોટી રાહત પણ મળી રહેશે.

ભારતના અન્ય શહેરોમાં મેટ્રો માટે જે આયોજન કરાયું છે. તેના કરતાં વધુ સારૂ આયોજન સુરતમાં થાય તે માટેની તૈયારી સરકાર સાથે મ્યુનિ. તંત્રએ શરૂ કરી દીધી છે. મેટ્રો ટ્રેનમાંથી ઉતર્યા બાદ લોકલ કનેક્શન મુસાફરોને તાત્કાલિક મળે તે માટે મ્યુનિ. તંત્રએ અત્યારથી જ 300 કરોડ રૂપિયાની યોજના માટે આયોજન શરૂ કરી દીધું છે.

સુરતના સીટી અને બીઆરટીએસ બસ સાથે સુરત મની કાર્ડ છે તેને મેટ્રો સાથે જોડીને ટિકિટ પણ એક જ કરવા માટે આયોજન થઈ રહ્યું છે. મેટ્રોમાં બેઠેલો મુસાફર તેના પહોંચવાના સ્થળ સુધી લોકલ ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાઈ તે માટે મ્યુનિ.તંત્રએ કવાયત શરૂ કરી દીધી છે.

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત મેટ્રોના ડિજીટલ શિલાન્યાસ કર્યા બાદ સુરત મ્યુનિ. અને સરકારે મેટ્રોના મુસાફરોને વધુ સારી સુવિધા મળે તે દિશામાં આયોજન શરૂ કર્યું છે. દેશના અન્ય શહેરોમા મેટ્રોની સુવિધા છે ત્યાં જે ક્ષતિઓ છે. તે ક્ષતિઓ સુરતમાં નહીં આવે.

Follow Us:
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">