Ahmedabad : કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ ખરાબ રોડનો વિડીયો ટ્વિટ કર્યો, કહ્યું કપચીથી પણ ભ્રષ્ટાચાર સહન ના થયો
જશોદાનગરથી રીંગ રોડને જોડતા નવા બનેલા હાઇવે પર પણ કપચી ઉખડી ગઈ છે. જેને લઇને કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ આ રસ્તાનો એક વીડિયો ટ્વીટ કરી લખ્યું છે કે આ છે ભાજપનું ભ્રષ્ટાચાર મોડલ
અમદાવાદ(Ahmedabad)શહેરના રોડ ચોમાસું આવતા જ ધોવાઈ જાય છે. જેમાં વર્ષોની તો વાત દૂર નવા બનેલા રોડ(Road)પણ બે-ત્રણ મહિનામાં ઠેકાણે પડી જાય છે. જશોદાનગરથી રીંગ રોડને જોડતા નવા બનેલા હાઇવે પર પણ કપચી ઉખડી ગઈ છે. જેને લઇને કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ આ રસ્તાનો એક વીડિયો ટ્વીટ કરી લખ્યું છે કે આ છે ભાજપનું ભ્રષ્ટાચાર મોડલ.તેમણે આક્ષેપ કર્યો છે કે, રસ્તામાં ભ્રષ્ટાચાર થયો છે. રોડ પર ચાલતા લોકોને આ ભ્રષ્ટાચાર સહન કરવો પડે છે.
આ પણ વાંચો: Vadodara : ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે સોખડાના સ્થાપક સંત હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન કર્યા
આ પણ વાંચો : Cloudburst in Kishtwar: કિશ્તવાડમાં સર્ચ ઓપરેશન યથાવત, IAF દ્વારા 74 લોકોનું ઓપરેશન કરાયુ, અત્યાર સુધીમાં 7માં મોત
Latest Videos
Latest News