Navsari બે યુવાનોના કસ્ટોડિયલ ડેથ મામલે બે પોલીસકર્મીની ધરપકડ કરાઇ

નવસારી કસ્ટોડિયલ ડેથ કેસ મામલે પોલીસે બે અમલદારોની ધરપકડ કરી છે. આ આરોપીઓ પી.આઈ. અજીતસિંહ વાળા અને કોન્સ્ટેબલ શકિતસિંહ ઝાલા બે મહિનાથી ફરાર હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 9:01 AM

નવસારીના(Navsari) ચીખલી પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં થયેલા બે યુવાનોના મોત(Custodial Death) મામલે પોલીસે બે અમલદારોની ધરપકડ કરી છે. આ આરોપીઓ પી.આઈ. અજીતસિંહ વાળા અને કોન્સ્ટેબલ શકિતસિંહ ઝાલા બે મહિનાથી ફરાર હતા. જેમને આખરે નવસારી પોલીસે ઝડપી પાડ્યા છે.

બે મહિના પહેલાં પોલીસની કસ્ટડીમાં વઘઈના બે યુવાનોના મોત થયા હતા. આ અંગે એક પી.આઈ., એક પી.એસ.આઈ. અને બે કોન્સ્ટેબલ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ ચારેય આરોપી પોલીસકર્મી ફરાર થઈ ગયા હતા, જેમાંથી બે આરોપીની ધરપકડ બાદ હજી પણ બે આરોપી ફરાર છે.

ઉલ્લેખનીય છે કે, નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં થયેલા બે યુવાનોના મોત મામલે અનેક વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા. તેમજ આ યુવાનોને ન્યાય અપાવવા માટે આરોપી પોલીસકર્મીઓને પકડવા માટે પણ અનેક વાર રજૂઆતો કરવામાં આવી હતી.

જેમાં બે મહિના પહેલા વઘઇના બે યુવાનો ચોરીના ગુનામાં ઝડપાયા હતા અને તેનું પોલીસ કસ્ટડીમાં મોત નિપજતા પીઆઈ, પીએસઆઇ અને બે કોન્સ્ટેબલ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાઇ હતી. પરંતુ બે મહિના વીતી ગયા છતાં આરોપીઓ પોલીસ કર્મીઓની ધરપકડ ન થતા આદિવાસી સમાજે ધરણાની ચીમકી ઉચ્ચારી હતી

નવસારી કસ્ટોડિયલ ડેથ કેસ મામલે રસ્તા પર ઉતરી લોકોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. તેમજ કસ્ટોડિયલ ડેથના મૃતક બે યુવાનોને ન્યાય અપાવવા બેનરો લઈ લોકો રસ્તા પર ઉતર્યા હતા. તેમજ ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથના આરોપીઓને ના પકડતા ન્યાય રેલી પણ નીકાળવામાં આવી હતી.

આ કેસમાં આરોપીઓ PI,PSI અને 3 કોન્સ્ટેબલ વિરુદ્ધ હત્યા અને એટ્રોસિટીની ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ પણ વાંચો : અમદાવાદના રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય, આ વિસ્તારના લોકો ત્રાહિમામ

આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભામાં આ મુદ્દાઓ ગાજ્યા, તંત્રની બેદરકારીનો આક્ષેપ

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">