નર્મદા: દેશની ઐતિહાસિક વિરાસતના વરસાની ઝાંખી કરાવતી અમદાવાદ-એકતાનગર ટ્રેનના હેરિટેજ લુકનો જુઓ વિડીયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેવડિયાના પ્રવાસ દરમિયાન વડોદરા ડિવિઝનની પ્રથમ હેરિટેજ ટ્રેનને લીલીઝંડી દેખાડી રહ્યા છે. હેરિટેજ ટ્રેન લોખંડી પુરુષ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા સાથે દેશના ઐતિહાસિક વિરાસતના વરસાની ઝાંખી કરાવે છે. એકતાનગર રેલવે સ્ટેશનથી નોન સ્ટોપ અમદાવાદથી એકતાનગર રેલવે સ્ટેશન સુધી દોડશે સ્ટીમ હેરીટેજ સ્પેશિયલ ટ્રેન દોડશે.
નર્મદા : આજે 31 ઓક્ટોબરના રોજ ભારતભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં થનાર છે. વર્ષ ૨૦૧૪માં ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.સરદાર પટેલ જયંતી નિમિત્તે ૩૧ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પિને સમગ્ર દેશવાસીઓ તરફથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેવડિયાના પ્રવાસ દરમિયાન વડોદરા ડિવિઝનની પ્રથમ હેરિટેજ ટ્રેનને લીલીઝંડી દેખાડી રહ્યા છે. હેરિટેજ ટ્રેન લોખંડી પુરુષ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા સાથે દેશના ઐતિહાસિક વિરાસતના વરસાની ઝાંખી કરાવે છે. એકતાનગર રેલવે સ્ટેશનથી નોન સ્ટોપ અમદાવાદથી એકતાનગર રેલવે સ્ટેશન સુધી દોડશે સ્ટીમ હેરીટેજ સ્પેશિયલ ટ્રેન દોડશે. દર રવિવારે ટ્રેન ચલાવવામાં આવશે. ટ્રેનમાં 4 કોચમાં 144 મુસાફરો બેસી શકશે. આ સાથે ટ્રેનમાં ડાઈનિંગ સહિતની સુવિધા પણ રખાઈ છે. 1 મુસાફરનું અંદાજિત 885 રૂપિયા ભાડું લેવાશે. આ ટ્રેનની સફર યાદગાર રહેશે.
Input Credit : Vishal Pathak, Narmada
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
