અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ, ટાઈફોઈડના 186થી વધારે નોંધાયા કેસ, જુઓ વીડિયો

અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ, ટાઈફોઈડના 186થી વધારે નોંધાયા કેસ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 31, 2024 | 3:30 PM

શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે.ચાલુ માસની વાત કરવામાં આવે તો ઝાડા ઉલ્ટીના 288 કેસ અને જોન્ડીસના 97 કેસ સામે આવ્યા છે. બીજી તરફ ટાઈફોડના 186 અને કોલેરાના 7 કેસ નોંધવામાં આવ્યા છે.

અમદાવાદમાં બેવડી ઋતુના પગલે રોગચાળો વકર્યો છે. શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. ચાલુ માસની વાત કરવામાં આવે તો ઝાડા ઉલ્ટીના 288 કેસ અને જોન્ડીસના 97 કેસ સામે આવ્યા છે. બીજી તરફ ટાઈફોડના 186 અને કોલેરાના 7 કેસ નોંધવામાં આવ્યા છે. ઠંડી પડતી હોવા છતા મચ્છરોનો ઉપદ્રવ યથાવત હોવાના કારણે રોગચાળામાં વધારો થયો છે.

મચ્છરે વધારે મુશ્કેલી!

ડેન્ગ્યુના 36, સાદા મલેરીયાના 9, ઝેરી મેલેરીયાના 5 કેસ નોંધવામાં આવ્યા છે. બીજી તરફ કૉર્પોરેશન તંત્ર દ્વારા દાવા કરવામાં આવી રહ્યો છે કે મચ્છરને કાબૂ કરવા માટે સેમ્પિલંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.રોગચાળો બે કાબૂ બનાતા દવાખાનામાં દર્દીઓની કતારો જોવા મળી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો