વડોદરા : ખેડૂતોને પડતા પર પાટુ, કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતાં પાકને નુકસાન, જુઓ વીડિયો
17 કિમી લાંબી રુસ્તમપુરા બંબોજ સબ માઇનોર કેનાલના નિર્માણના ત્રણ વર્ષમાં જ આ સ્થિતિ સર્જાઇ છે. ખેડૂતોને આ કેનાલનો લાભ મળી રહ્યો નથી. કેનાલમાં ગાબડાને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા વારંવાર પાકને નુકસાન થઇ રહ્યું છે. ગોચરની 100 વિઘા જમીનમાં કેનાલના ગાબડાને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.
એક તરફ પાણી માટે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે અને બીજી તરફ હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. વડોદરાના ડભોઇ તાલુકામાં આવેલી બંબોજ માઇનોર કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યા છે જેના કારણે રોજ હજારો લિટર પાણીનો વ્યય થઇ રહ્યો છે. છેવાડાના ગામો પાણીથી વંચિત રહ્યા છે. કેનાલમાં ગાબડા અંગે ખેડૂતો દ્વારા લેખિત અને મૌખીક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઇ જ પગલાં લેવામાં આવ્યા નથી.
17 કિમી લાંબી રુસ્તમપુરા બંબોજ સબ માઇનોર કેનાલના નિર્માણના ત્રણ વર્ષમાં જ આ સ્થિતિ સર્જાઇ છે. ખેડૂતોને આ કેનાલનો લાભ મળી રહ્યો નથી. કેનાલમાં ગાબડાને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા વારંવાર પાકને નુકસાન થઇ રહ્યું છે. ગોચરની 100 વિઘા જમીનમાં કેનાલના ગાબડાને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જેના કારણે પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે તંત્ર કેનાલ રિપેરિંગનું કામ ઝડપથી કરે તેવી સ્થાનિક ખેડૂતોની માગ છે.
