Mehsana : SPG અને PAASની બેઠક, પાટીદાર સમાજના પડતર પ્રશ્નો ઉકેલવા ચર્ચા
આગામી સમયમાં શહીદ પાટીદારને નોકરી મળે તેવી માંગ પણ કરવામાં આવશે અને સાથે પાટીદાર આંદોલનમાં યુવાનો પર થયેલા કેસોને પણ પાછા ખેંચવાની સરકાર પાસે માગ કરવામાં આવશે.
Mehsana : અલ્પેશ કથેરિયાએ ઉંઝા ઉમિયા માતાજીના દર્શન કરી SPGના અધ્યક્ષ લાલજી પટેલ સાથે બેઠકોની શરૂઆત કરી હતી. આ બેઠકમાં પાટીદાર સમાજને આગળ વધારવાના નિર્ણય કરવામાં આવ્યો છે. તો બીજી તરફ પાટીદાર સમાજના પડતર પ્રશ્નોને ઉકેલવા બેઠક કરવામાં આવી હતી. આગામી સમયમાં શહીદ પાટીદારને નોકરી મળે તેવી માંગ પણ કરવામાં આવશે અને સાથે પાટીદાર આંદોલનમાં યુવાનો પર થયેલા કેસોને પણ પાછા ખેંચવાની સરકાર પાસે માગ કરવામાં આવશે. અને સાથે જરૂર પડશે તો પાટીદાર આંદોલન પાર્ટ 2 પણ શરૂ કરવામાં આવી શકે છે.
Latest Videos
Latest News