RAJKOT : દવા કૌભાંડમાં SOGની તપાસમાં મોટા ખુલાસા, જાણો કેવી રીતે બનાવાતી હતી નકલી દવા

આરોગ્ય વિભાગે કહ્યું કે ઓશો ક્લિનિકમાં મળેલો દવાનો જથ્થો વિશ્વાસપાત્ર નથી.આ દવા પર લખેલો FSSAI નંબર પણ ખોટો છે, તો દવાના જથ્થા પરનું ફૂડ રજીસ્ટ્રેશન અને લાયસન્સ પણ ખોટું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 6:47 PM

RAJKOT : રાજકોટમાંથી બોગસ દવાના ઝડપાયેલા કૌભાંડમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. SOG અને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પરેશ પટેલના ST પોર્ટ પર આવેલા ઓશો ક્લિનિકમાં તપાસ કરી.આ તપાસ દરમિયાન એવી હકીકતો સામે આવી જેણે આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ આશ્ચર્યમાં મુકી દીધા.

રાજકોટમાં એક્સપાયરી દવા વેચવાના કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે એક્સપાયર થયેલી દવામાં ચ્યવનપ્રાશ, સીરમની ભેળસેળ કરવામાં આવતી હતી.આ ભેળસેળવાળી દવાને પરેશ પટેલ મધુમેહનાશક નામે ઈમ્યુનિટી બૂસ્ટરના નામે લોકોને પધરાવતો હતો. પરેશ પટેલ એક્સપાયર થયેલી કફ સીરપ, કિડની અને અન્ય વિટામીનની દવાનો જથ્થો ખરીદતો હતો.જેમાં ભેળસેળ કરીને આયુર્વૈદિક દવાને નામે લોકોને વેચતો હતો. આરોગ્ય વિભાગે કહ્યું કે ઓશો ક્લિનિકમાં મળેલો દવાનો જથ્થો વિશ્વાસપાત્ર નથી.આ દવા પર લખેલો FSSAI નંબર પણ ખોટો છે, તો દવાના જથ્થા પરનું ફૂડ રજીસ્ટ્રેશન અને લાયસન્સ પણ ખોટું છે.

પરેશ પટેલ રાજકોટ જ નહીં, પણ સૌરાષ્ટ્રભરમાં નજીવા નફાની લાલચે જીવનરક્ષકના નામે જીવનભક્ષક સમાન દવા વેચતો હતો.લોકો આયુર્વેદિક દવાઓ આડઅસર નહીં કરે તેમ સમજીને ખરીદતા હતા.. પરેશ પટેલ પર SOG અને આરોગ્ય વિભાગે તપાસનો સકંજો કસ્યો છે, ત્યારે સમગ્ર કેસ અંગે જ્યારે પરેશ પટેલને પુછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તપાસ પૂર્ણ થયા પછી તે પોતાની વાત રજૂ કરશે.

આ પણ વાંચો : RAJKOT : આર.કે. ગ્રૂપના સીઝ કરવામાં આવેલા બેંક લોકરમાંથી કરોડો રૂપિયા મળી આવ્યાં

આ પણ વાંચો : ગીર અભયારણ્યમાં ગેરકાયદે ખનન મુદ્દે હાઇકોર્ટનું કડક વલણ, ખનન કરનારા સામે કાર્યવાહીની આપી ચેતવણી

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">