Kheda : માતર તાલુકાના ખેડૂતો આક્રોશિત, સિંચાઇ માટે કેનાલમાં પાણી છોડવા માંગ
રાજ્ય સરકારે પાણી આપવાની જાહેરાત કરી હોવા છતાં પાણી ન આપવામાં આવતા ખેડૂતો કેનાલ પાસે ધરણા પર બેઠા છે.
ખેડા(Kheda)ના માતર તાલુકાના ખેડૂતો(Farmers)આકરા પાણીએ થયા છે. કેનાલોમાં સિંચાઇ(Irrigation) માટે પાણી છોડવામાં ન આવતા હજારો વીઘા જમીનો પડતર થઈ રહી છે. રાજ્ય સરકારે પાણી આપવાની જાહેરાત કરી હોવા છતાં પાણી ન આપવામાં આવતા ખેડૂતો કેનાલ પાસે ધરણા પર બેઠા છે. ત્રાજ-વિશાખા કેનાલ પર પુનાજ, પૂજેરા, સેખુપુર, ખરાટી, બરોડા, નધાનપુર પાલલા, તેયબપુર ગામના ખેડૂતો કેનાલ પાસે ધરણા કરી સરકાર પાસે કેનાલમાં પાણી છોડવા માગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : ગુજરાત સરકાર ઓક્ટોબર માસમાં દુબઈમાં યોજાનારા એકસ્પોમાં ભાગ લેશે, વિદેશી રોકાણકારોને આકર્ષવાનો પ્રયાસ
Latest Videos
Latest News