જૂનાગઢ : જાલણસરના ગ્રામજનો રસ્તા પર ઉતર્યા, વિવિધ સમસ્યા મુદ્દે ગામમાં બંધ પાળીને કલેક્ટરને આપ્યું આવેદન, જુઓ વીડિયો

જૂનાગઢ : જાલણસરના ગ્રામજનો રસ્તા પર ઉતર્યા, વિવિધ સમસ્યા મુદ્દે ગામમાં બંધ પાળીને કલેક્ટરને આપ્યું આવેદન, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 18, 2024 | 1:08 PM

જાલણસર ગામના લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ગામમાં અસમાજીક તત્વોનો ત્રાસ વધ્યો છે. તેઓ દારૂ અને માંસનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે અને અવારનવાર ગામની મહિલાઓને પણ હેરાન કરતા હોય છે. તો સરપંચ સામે લેન્ડગ્રેબિંગનો ખોટા કેસને પાછો ખેંચવાની પણ ગ્રામજનોએ રજૂઆત કરી છે.

જૂનાગઢના જાલણસરના ગ્રામજનો વિરોધ પર ઉતર્યા છે. જાલણસર ગામના લોકોએ બંધ પાળીને વિવિધ સમસ્યા અંગે વિરોધ નોંધાવ્યો છે. 700થી વધુ ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને ઉકેલની માગ કરી છે. ગ્રામજનોએ ગામમાં અસામાજીક તત્વોનો ત્રાસ વધ્યો હોવાની ફરિયાદ કરી છે.

જાલણસર ગામના લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ગામમાં અસમાજીક તત્વોનો ત્રાસ વધ્યો છે. તેઓ દારૂ અને માંસનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે અને અવારનવાર ગામની મહિલાઓને પણ હેરાન કરતા હોય છે. તો સરપંચ સામે લેન્ડગ્રેબિંગનો ખોટા કેસને પાછો ખેંચવાની પણ ગ્રામજનોએ રજૂઆત કરી છે.

ધોરાજીના અસામાજીક તત્વો દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરીને જમીન પચાવી પાડવાનો ષડયંત્ર થતો હોવાનો ઉલ્લેખ કરાયો છે. સાથે જ ગામની સર્વે નંબર 321ની સરકારી પડતર જમીન માધવ ગૌશાળા ટ્રસ્ટને આપવામાં આવે તેવી 4 વર્ષથી માગ કરાઇ રહી છે, છતાં વહીવટી તંત્ર જવાબ ન આપતું હોવાની રજૂઆત કરી છે.

આ પણ વાંચો-નર્મદા : ગરુડેશ્વરના ખડગદા ગામે ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ અંતર્ગત પ્રથમ બાલિકા પંચાયતની રચના કરાઈ 

મહત્વનું છે, ગ્રામજનોએ ગૌશાળાની જમીન, આવારા તત્વો અને સરપંચ પર થયેલા કેસ અંગે ઉકેલની માગણી કરી છે અને વહીવટી તંત્રને અનેક રજૂઆત બાદ કાર્યવાહી ન થતા જૂનાગઢ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો