Junagadh: ભવનાથમાં સિંહના ટોળાનો વીડિયો થયો વાયરલ, દામોદર કુંડથી અશોક શિલાલેખ સુધી સિંહની લટાર

ભવનાથમાં સિંહના ટોળાનો લટાર મારતો વીડિયો વાયરલ થયો છે. એક સાથે ચાર સિંહ લટાર મારતો વીડિયો વાયરલ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2022 | 10:55 PM

Junagadh: ભવનાથમાં સિંહના ટોળાનો લટાર મારતો વીડિયો વાયરલ થયો છે. એક સાથે ચાર સિંહ લટાર મારતો વીડિયો વાયરલ થયો છે. દામોદર કુંડથી અશોક શિલાલેખ સુધી સિંહો લટાર મારતા જોવા મળ્યા હતા. બે સિંહણ બે બાળ સિંહ સાથે લટાર મારતા કેમેરામાં કેદ થયા હતા.

જંગલમાં આવેલા પૂરમાં તણાઇ જતા સિંહણનું મોત

થોડા દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ ફરી ધબધબાટી બોલાવી છે. ગુજરાતમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 12 સપ્ટેમ્બરના રાત્રે પણ ગિરનાર જંગલમાં 7 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. જેની અસર ગીર જંગલના પશુઓ પર પણ થઇ. આ ધોધમાર વરસાદના પગલે ગિરનારના જંગલમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતુ. એટલુ જ નહીં એક સિંહણનું પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી મોત થયુ હોવાની માહિતી છે. વન વિભાગે સિંહણના મૃતદેહનો કબ્જો લઇને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સિંહણનું પાણીમાં તણાઇ જવાથી મોત

જૂનાગઢ જિલ્લાના ગિરનારમાં 12 સપ્ટેમ્બરના રાત્રે ગિરનાર જંગલમાં 7 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. ગિરનાર જંગલમાં વધુ વરસાદ પડતાં એક સિંહણ પાણીના પ્રવાહમાં તણાઈ ગઇ હતી. લોલ નદીમાં પૂર આવતા સિંહણ પાણીમાં તણાઇને ડેરવાણ ગામ પહોંચી હતી. પાણીમાં તણાતાં સિંહણનું મોત થયુ છે. ગિરનારના ઉત્તર રેન્જમાં આ ઘટના બની છે. વન વિભાગ દ્વારા પણ સિંહણનું પાણીમાં ડુબી જવાથી મોત થયાની પુષ્ટિ કરી છે. વન વિભાગે ડેરવાણ ગામથી સિંહણનો મૃતદેહ પહોંચતા વનવિભાગ પહોંચી કબજો લીધો છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">