Jamnagar : રખડતા ઢોરો પર નિયંત્રણ લાવવા મહાનગરપાલિકાની કડક કાર્યવાહી

જામનગર શહેરમાં મોટાભાગના રસ્તા પર રખડતા ઢોરનો અડીગો જોવા મળે છે. જે સમસ્યાનો ઉકેલ લાવવા માટે તંત્રએ આળસ ખંખેરી છે. પોલીસ બંદોબસ્ત સાથે રાખીને રખડતા ઢોરને પકડવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 9:53 AM

Jamnagar : શહેરમાં રખેડતા ઢોરની સમસ્યાનો ઉકેલ મળેવા માટે તંત્ર દ્રારા શકય તમામ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા. રખડતા ઢોરને રસ્તા પરથી દુર કરવા માટે હવે ઢોરને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત સાથે ઢોરને પકડાવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે.

જામનગર શહેરમાં મોટાભાગના રસ્તા પર રખડતા ઢોરનો અડીગો જોવા મળે છે. જે સમસ્યાનો ઉકેલ લાવવા માટે તંત્રએ આળસ ખંખેરી છે. પોલીસ બંદોબસ્ત સાથે રાખીને રખડતા ઢોરને પકડવામાં આવે છે. શહેરના માર્ગો પરથી રખડતા ઢોરને દુર કરવા માટે મહાનગર પાલિકા દ્રારા વિવિધ કામગીરી કરવામાં આવી છે. જેમાં અગાઉ રસ્તા પરથી ઢોરને દુર કરવા માટે લાકડી સાથે રોજમદારોને રસ્તા પર ફરજ પર તૈનાત કર્યા હતા. પરંતુ કાયમી ઉકેલ ના આવતા આજથી પોલીસને સુરક્ષા સાથે રખડતા ઢોરને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ લાવવા માટે મહાનગર પાલિકા કડક પગલા લેવાનુ શરૂ કર્યુ છે. જેમાં રસ્તા પર ઘાસચારો નાખતા લોકો સામે પોલીસ ફરીયાદ સુધીની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ રખડતા ઢોર મુદે ઢોર માલિકો સામે પોલીસ ફરીયાદ કરવા સુધીની તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે. કોઈ પણ રીતે માથાના દુખાવા સમાન બનેલી રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તંત્ર લાલ આંખ કરી છે. તેમજ ઢોર માલિકોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે હવેથી કોઈ ઢોરને રઝડતા રસ્તા પર મુકવામાં ના આવે. જો આવુ બનશે તો કડક કાર્યવાહી ઢોર માલિકો સામે કરાશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">