jamnagar : ઇવા પાર્કમાં આવાસ યોજનાના સ્થાનિકો પરેશાન, ઉભરાતી ગટરથી ત્રાહિમામ
જામનગરના ઈવા પાર્કમાં તૈયાર કરાયેલા અટલ બિહારીજી ભવન આવાસમાં લોકો પાયાની સુવિધાથી જ વંચિત છે. 312 જેટલા આવાસ છે. પરંતુ ગટરની યોગ્ય વ્યવસ્થા નથી.
jamnagar : શહેરમાં મહાનગરપાલિકાએ લાભાર્થીઓને આવાસ તો આપ્યા, સાથે સાથે સમસ્યાઓ પણ પારાવાર આપી. સામાન્ય રીતે સમસ્યાઓ ન હોવી જોઈએ. પરંતુ જામનગરના ઈવા પાર્કમાં તૈયાર કરાયેલા અટલ બિહારીજી ભવન આવાસમાં લોકો પાયાની સુવિધાથી જ વંચિત છે. 312 જેટલા આવાસ છે. પરંતુ ગટરની યોગ્ય વ્યવસ્થા નથી. ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવાસના મુખ્યદ્વાર પર જ ગટરના પાણી વહેતા રહેતા હોવાથી લોકોને આવવા-જવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેમની સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો.