IAS કે. રાજેશની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો, CBIની તપાસમાં હવે ED અને ઈન્કમ ટેક્સ પણ જોડાઈ શકે

લાંચ અને ખોટી રીતે લાભ (Corruption) કરાવવા મામલે CBI દ્વારા સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશ સામે તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમા પટેલે 11 મેએ 27 મુદ્દા સાથેનો 15 પાનાંનો એક પત્ર લખી કે. રાજેશની નાણાકીય ગેરરીતિનો ઘટસ્ફોટ કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 11:50 PM

IAS કે.રાજેશની મુશ્કેલી વધી શકે છે. હવે કે.રાજેશ સામે થયેલા ભ્રષ્ટાચાર કેસમાં ઇન્કમટેક્સ (Income Tax) અને ઈડી પણ તપાસમાં જોડાઈ શકે છે. IAS કે.રાજેશ સામે CBIની ચાલી રહેલી તપાસમાં ઈન્ક્મટેક્સ અને ED જોડાઈ શકે છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કે.રાજેશના બેંક વ્યવહારમાં મોટા ટ્રાન્જેકશનો હોવાથી ઈન્ક્મટેક્સ વિભાગ તપાસમાં સક્રિય બને તેવી શક્યતા છે. મહત્વનું છે કે કે.રાજેશ સામે ભ્રષ્ટાચારને લઈ CBI હાલ 3 ડઝનથી વધુ બેન્ક એકાઉન્ટના વ્યવહારની તપાસ કરી રહી છે. એટલું જ નહીં CBIની બીજી ટીમ હાલ પ્રોપર્ટીના દસ્તાવેજો પણ તપાસી રહી છે. તપાસ દરમિયાન પ્રોપર્ટીની વાસ્તવિક કિંમત અને દસ્તાવેજની કિંમતમાં મોટો તફાવત હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે લાંચ અને ખોટી રીતે લાભ (Corruption) કરાવવા મામલે CBI દ્વારા સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશ સામે તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમા પટેલે 11 મેએ 27 મુદ્દા સાથેનો 15 પાનાંનો એક પત્ર લખી કે. રાજેશની નાણાકીય ગેરરીતિનો ઘટસ્ફોટ કર્યો હતો. આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીને લખવામાં આવ્યો હતો અને કે. રાજેશ વિરુદ્ધ સીબીઆઈ તપાસની માગ કરી હતી.

પૂર્વ સાંસદ સોમા પટેલ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર વખત સાંસદ અને લીંબડી અને વિરમગામ વિધાનસભા વિસ્તારમાં ત્રણ વખત ધારાસભ્યપદે રહી ચૂક્યા છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી સતત તપાસ ચાલુ હોય એક પછી એક પુરાવાઓ સીબીઆઈના હાથ લાગી રહ્યા છે. તેમજ IAS કે. રાજેશના ભાઈ અને પત્નીના બેંકિંગ વ્યવહારો પર સીબીઆઈ નજર રાખી રહી છે અને તપાસ આગળ વધારી રહી છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">