કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના રામમંદિર પરના વિવાદિત નિવેદનનો ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આપ્યો આ જવાબ

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ(Harsh Sanghvi) કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.તેમણે કહ્યું, કોંગ્રેસના નેતાએ આ પ્રકારનું નિવેદન આપીને કરોડો રામભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે.રામ મંદિર અને રામ શીલા પર આ પ્રકારની ટિપ્પણી યોગ્ય નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 10:12 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election)પહેલા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.કોંગ્રેસના અગ્રણી નેતા ભરતસિંહ સોલંકીએ(Bharatsinh Solanki)રામ મંદિર અંગે નિવેદન આપતા વિવાદ સર્જાયો છે.જેને લઈને હવે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ(Harsh Sanghvi) કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.તેમણે કહ્યું, કોંગ્રેસના નેતાએ આ પ્રકારનું નિવેદન આપીને કરોડો રામભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે.રામ મંદિર અને રામ શીલા પર આ પ્રકારની ટિપ્પણી યોગ્ય નથી.ભગવાન રામ વિશે આ પ્રકારની ટિપ્પણી કરનારને આગામી સમયમાં ભગવાન રામ જ જવાબ આપશે.

ભરતસિંહ સોલંકીએ રામ મંદિરનો રાગ આલાપ્યો

મહત્વનું છે કે જાહેર મંચ પરથી ભરતસિંહ સોલંકીએ ભાજપ પર રામ મંદિરના નામે રૂપિયા ઉધરાવીને લોકોને ઉલ્લુ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. રામ મંદિર માટે ઉઘરાવેલી ઇંટો પર શ્વાન પેશાબ કરતા હતા. આ વિવાદીત નિવેદન આપ્યું છે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ. જાહેર કાર્યક્રમના મંચ પરથી ભરતસિંહ સોલંકીએ રામ મંદિરનો રાગ આલાપ્યો અને સભ્ય સમાજને ન શોભે તેવા શબ્દોનો પ્રયોગ કર્યો. ભરતસિંહ આટલેથી જ ન અટક્યા, અને રામ મંદિરના નામે ભાજપ પર પણ પ્રહાર કર્યો. ભરતસિંહે ભાજપ પર રામ મંદિરના નામે રૂપિયા ઉધરાવીને લોકોને ઉલ્લુ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. મંચ પરથી ભાષણમાં અભદ્ર ભાષાના ઉપયોગ બાદ પણ ભરતસિંહ પોતાના નિવેદન પર અડગ રહ્યા. જોકે તેઓએ સ્પષ્ટતા કરી કે, તેમની ટિપ્પણી રામ મંદિર મુદ્દે નહીં, પરંતુ ભાજપની ખોટી રાજનીતિ મુદ્દે હતી.

વટામણ ખાતે કોંગ્રેસના ઓબીસી સંમેલનમાં ભરતસિંહ સોલંકીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે હિન્દૂના નામે ભાગલા પડાવી રાજ કરનાર ભાજપ સરકારને ઓળખો. તેમણે એમ પણ કહ્યું કે બક્ષીપંચ સમાજને સાથે રાખ્યા વગર ચૂંટણી ના જીતી શકાય. ભાજપ સરકારમાં મહત્વના ખાતા ઉજળીયાતોને અપાય છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">