ખરગેના નિવેદનને ગુજરાતીઓ સહન નહીં કરે, કોંગ્રેસને મોટુ નુકસાન થશે: વિજય રૂપાણી

Gujarat Election 2022: કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેના ગુજરાત ચૂંટણી સમયે વડાપ્રધાન મોદી વિશે આપેલા નિવેદનને ગુજરાતના અપમાન સાથે જોડીને જોવામાં આવી રહ્યુ છે. આ મુદ્દે હવે રાજનીતિ ચરમસીમાએ પહોંચી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2022 | 11:26 PM

કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ પીએમ મોદીની રાવણ સાથે કરેલી સરખામણીવાળા નિવેદનને કારણે દેશની રાજનીતિ ગરમાઈ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ મામલે કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. વિજય રૂપાણીએ કહ્યું કે વડાપ્રધાનની સરખામણી રાવણ સાથે કૉંગ્રેસે કરી છે. જે ગુજરાતીઓનું અપમાન છે. ગુજરાતના લોકો આ નિવેદનને સહન નહીં કરે. આ નિવેદનને કારણે કૉંગ્રેસને ખૂબ જ નુકસાન થશે.

શું કહ્યું હતુ મલ્લિકાર્જુન ખરગેએ?

ગુજરાત ચૂંટણી માટે પ્રચારમાં રહેલા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ હતુ. સોમવારે અમદવાદમાં એક ચૂંટણીસભા દરમિયાન તેમણે કહ્યું કે શું મોદી પાસે રાવણની જેમ 100 મોઢા છે? મને સમજાતુ નથી. આ અગાઉ રવિવારે સુરતમાં એક જાહેરસભામાં ખરગેએ પોતાને અછૂત અને પીએમ મોદીને જુઠ્ઠાણાના સરદાર ગણાવ્યા હતા.

ખરગેએ પોતાને ગણાવ્યા અછૂત

મલ્લિકાર્જુન ખરગેએ જણાવ્યુ કે વડનગરના રેલવે સ્ટેશને ચા વેચવાથી લઈને વડાપ્રધાનના પદ સુધી પહોંચનારા નરેન્દ્ર મોદી અવારનવાર તેમના સંઘર્ષ, ગરીબી અને ચા વેચવાની સ્થિતિનો ઉલ્લેખ કરતા હોય છે. ત્યારે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ મામલે સીધું જ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે પીએમ મોદી હંમેશા પોતે ગરીબ હોવાનો દાવો કરે છે, પરંતુ હું તો ગરીબથી પણ વધુ ગરીબ છું. અમે તો અછૂત ગણાઈએ છીએ. કમ સે કમ તમારી ચા તો કોઈક પીવે છે, અમારી તો ચા પણ કોઈ નથી પીતું. પીએમ મોદી આવું બોલીને લોકોની સહાનુભૂતિ લેવાનો પ્રયાસ કરે છે, પરંતુ હવે લોકો હોમશિયાર થઈ ગયા છે.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">