રંગમાં તો નહીં પડેને ભંગ? અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું, પહેલા નોરતે ખેલૈયાઓ ચિંતામાં

Ahmedabad: આજે નવરાત્રીનો પ્રથમ દિવસ છે એવામાં વરસાદ પડતા ખેલૈયાઓમાં ચિંતા પ્રસરી ગઈ છે. રાત્રે પણ વરસાદ જામશે તો ખેલૈયાઓનો રંગ ચોક્કસ બગડશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 6:10 PM

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું છે. દિવસભરના ઉકળાટ અને બાફ બાદ સાંજે વરસાદ જોવા મળ્યો. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો. દિવસભરની ગરમી બાદ સમી સાંજે પડેલ ઝાપટાં થી ઠંડક ના કારણે લોકો ને રાહત થઈ છે. અમદાવાદના નિર્ણયનગર, શાસ્ત્રીનગર, મેમનગર, ભુયંગદેવ, પાલડી, LD ના આસપાસના વિસ્તારમાં વરસાદ તૂટી પડતા ચોમાસું જામ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો. હવામાન વિભાગની આગાહી વગર વરસાદી ઝાપટી જોવા મળતા સૌ ચોંકી ગયા હતા. સાથે જ આજે નવરાત્રીનો પ્રથમ દિવસ છે એવામાં વરસાદ પડતા ખેલૈયાઓમાં ચિંતા પ્રસરી ગઈ છે. રાત્રે પણ વરસાદ જામશે તો ખેલૈયાઓનો રંગ ચોક્કસ બગડશે.

તમને જણાવી દઈએ કે ભુયંગદેવ વિસ્તાર સહિત આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. પવન અને વીજળીના કડાકાઓ સાથે વરસાદ પડતા ખેલૈયાઓ ચિંતામાં છે. પહેલા નોરતે વરસાદના વધામણાં થવાથી નવરાત્રી આયોજકો માટે હાલાકી સર્જાઈ છે. શેરી અને ફ્લેટ જ્યારે શણગારી દેવામાં આવ્યા છે, ત્યારે વરસાદી ઝાપટાએ રંગ બગાડ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ તરફ મેમનગર વિસ્તારમાં પાણી ભરાયા છે. ત્યારે થોડા વરસાદમાં પાણી ભરાતા હોવાનો લોકોનો આક્ષેપ છે. લોકોએ amc ની કામગીરીને લઈને નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ વરસાદી પાણી નિકાલ કરવાની પણ રજુઆત કરી છે.

 

આ પણ વાંચો: દાદરાનગર હવેલી પેટાચૂંટણીમાં ભાજપ સામે પૂર્વ સાંસદ મોહન ડેલકરના પત્ની ઝંપલાવશે, આ પાર્ટીમાંથી લઇ શકે છે ટિકિટ

આ પણ વાંચો: પરિવારના અને અંગત લોકો સાથે ખાનગી પ્લોટ કે ફાર્મમાં ગરબા થઇ શકશે કે નહીં? જાણો તમારા આ સવાલનો જવાબ

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">