સોમનાથમાં દેવ-દિવાળીએ યોજાતો કાર્તિક પૂર્ણિમાનો મેળો રદ કરાયો

સોમનાથમાં સામાન્ય રીતે દર વર્ષે કાર્તિક પૂર્ણિમાનો મેળો પાંચ દિવસ સુધી યોજાય છે. તેમજ આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. જો કે આ વર્ષે કોરોનાની ગાઈડ લાઇનને ધ્યાનમાં રાખીને આ મેળાનું આયોજન શક્ય નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 9:47 PM

ગુજરાતમાં(Gujarat) કોરોનાની(Corona)ત્રીજી લહેરની આશંકાના પગલે ગીર સોમનાથ જિલ્લાના સોમનાથમાં(Somnath)દર વર્ષે કાર્તિક પૂર્ણિમા(Kartik Purnima)એટલે કે દેવ દિવાળીએ યોજાતો કાર્તિક પૂર્ણિમાનો મેળો રદ કરવામાં આવ્યો છે. જેમાં સોમનાથ ટ્રસ્ટે કોવિડ ગાઇડલાઇનને લઈને આ મેળો રદ કરવાની જાહેરાત કરી છે.

સામાન્ય રીતે દર વર્ષે કાર્તિક પૂર્ણિમાનો મેળો પાંચ દિવસ સુધી યોજાય છે. તેમજ આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. જો કે આ વર્ષે કોરોનાની ગાઈડ લાઇનને ધ્યાનમાં રાખીને આ મેળાનું આયોજન શક્ય નથી. જેના લીધે આ વર્ષે મેળો રદ કરવામાં આવ્યો છે.

જો કે હાલમાં જ પૂર્ણ થયેલા શ્રાવણ માસ દરમ્યાન સોમનાથ મંદિરમાં પણ પાસ દ્વારા દર્શનાર્થીઓને એન્ટ્રી આપવામાં આવી હતી. તેમજ હવે કોરોના કેસ ઘટતા દર્શનાર્થીઓ માટે પાસ વિના પ્રવેશની શરૂઆત કરી છે.

આ દરમ્યાન ગુજરાતમાં મંગળવારે કોરોના કેસમાં વધારો નોંધાયો છે. જેમાં કોરોના કેસ વધતાં સરકારની ચિંતા વધી છે. તેમજ આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે. જેમાં લોકોની અનેક સ્થળોએ અવર જવર વધવાની છે. તેવા સમયે ફરી કોરોનાના કેસો વધશે તેવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવી છે.

જેના પગલે આગામી દિવસોમાં લોકોએ કોરોનાના પ્રત્યે વધુ સજાગ બનવાની જરુંર છે. જેમાં કોરોના વેક્સિન લીધી હોય તેમ છતાં પણ સોશ્યલ ડિસ્ટન્ટ, માસ્ક અને સેનીટાઈઝરનો ઉપયોગ ફરજીયાત પણે કરવો જોઇએ. તેમ જ બને ત્યાં સુધી વધુ ભીડભાડ વાળા સ્થળોથી બચવું જોઇએ.

આ પણ વાંચો :  ગુજરાતના ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉન સુરતમાં પણ પોલીસ ગ્રેડ પેના મુદ્દે રેલી

આ પણ વાંચો :ગુજરાતમાં ગ્રેડ પે મુદ્દે પોલીસ તંત્ર એક્શનમાં, કહ્યું યોગ્ય રજૂઆત વિના આંદોલન થશે તો પગલાં લેવાશે

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">