Ahmedabad : ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડધારકના સારવાર મુદ્દે આરોગ્ય પ્રધાનની મોટી જાહેરાત, 1 મહિનામાં ચુકવી અપાશે પેન્ડીંગ ક્લેમ

રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અમદાવાદની(Ahmedabad) એક ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા ત્યારે તેમણે ખાનગી હોસ્પિટલને લઈને નિવેદન આપ્યુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 10:56 AM

ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ કાર્ડધારકને( Aayushmaan Yojna) સારવાર ન આપતી હોવાની ફરીયાદો ઘણા વખતથી સામે આવી રહી છે, ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાને ઋષિકેશ પટેલે આ અંગે નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે “વહેલી તકે પ્રાઇવેટ હોસ્પિટલના(Private Hospital)  બાકી રહેલ પેમેન્ટ ચૂકવવામાં આવશે” તમને જણાવી દઈએ કે, રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ(Rushikesh Patel)  અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા ત્યારે તેમણે ખાનગી હોસ્પિટલને લઈને આ નિવેદન આપ્યુ હતુ.  તેમના જણાવ્યા અનુસાર આગામી એક મહિનામાં બાકીના ક્લેમ ચૂકવી દેવાશે.ઉલ્લેખનીય છે કે,ખાનગી હોસ્પિટલોમાં ક્લેમની ચૂકવણીમાં વિલંબ થવાથી નાની મોટી ફરિયાદ આવી રહી છે.

રાજ્યમાં આયુષ્માન કાર્ડ યોજનાનો વ્યાપ વધ્યો

ઉલ્લેખનીય છે કે, રાજ્યની 1875 સરકારી અને713 જેટલી ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ ધારક તબીબી સેવાનો લાભ મેળવી શકે છે. આ તમામ તબીબી સેવા કાર્ડધારકને કેશલેસ અને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં સામાન્ય બિમારી સાથે,અતિ મોંઘી સર્જરી તેમજ કેન્સર, કિડની, હ્યદયરોગ સંબંધિત બિમારીઓનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ (PM Modi) દેશના નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ સરળતાથી અને વિનામૂલ્યે મળી રહે તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય-આયુષ્યમાન ભારત યોજના અમલી બનાવી છે.

સુરક્ષા કવચ 5 લાખ રૂપિયા

તમને જણાવી દઈએ કે, સામાજીક, આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ(SECC)-2011 અંતર્ગત નિયત માપદંડો ધરાવતા રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પરિવારોને આ યોજના હેઠળ 5 લાખ નું પ્રતિવર્ષ સુરક્ષા કવચ પૂરુ પાડવામાં આવે છે. કાર્ડ માટે પાત્રતા ધરાવતા વ્યક્તિ કાર્ડ કઢાવીને આ યોજનાનો લાભ લઈ શકે છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">