Gujarat Election 2022: કિર્તીદાન ગઢવી મતદાનથી વંચિત રહી જતા થઈ ગયા ગુસ્સે, જાણો મતદાન કેન્દ્ર પર શું થયું?

કિર્તીદાન ગઢવી (Kirtidan gadhvi) રાજ્યના મતદાન જાગૃતિ અંગેના  કેમ્પ્ઇનના બ્રાન્ડ એમ્બેસેડર છે છતાં તેમણે  મતદાન કરવા માટે રાહ જોવી પડી હતી  અને 40થી 45 મિનિટ સુધી રાહ જોયા બાદ  તેમણે  રાજકોટમાં માધાપરની શાળા  ખાતે મતદાન કર્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2022 | 3:38 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022:  રાજકોટ ખાતે  જાણીતા લોકગાયક  કિર્તીદાન ગઢવી પોતાનો વોટ આપી શકયા નહોતા.  કારણ કે તેમની પાસે હાર્ડ કોપીમાં આઇડી પ્રૂફ ન હતું. આથી કિર્તીદાન ગઢવીએ ચૂંટણીપંચની નિંદા કરીહતી અને જણાવ્યું હતું કે  ડીજીટલ ઇન્ડિયાની વાતો વચ્ચે મોબાઇલમાં સોફ્ટકોપી માન્ય રહી નથી.  આથી  ઘટનાને પગલે કિર્તીદાન ગઢવીએ ચૂંટણી પંચને રજૂઆતપણ કરી હતી. નોંધનીય છે કે  કિર્તીદાન ગઢવી મતદાન જાગૃતિના બ્રાન્ડ એમ્બેસેડર છે. કિર્તીદાન ગઢવીએ જણાવ્યું હતું કે  જો આમ ચાલશે  તો ડિજિટલ ઇન્ડિયા નું કેમ્પેઇન  ક્યારેય  સફળ નહીં થાય. નોંધનીય છે કે કિર્તીદાન ગઢવી રાજ્યના મતદાન જાગૃતિ અંગેના  કેમ્પ્ઇનના બ્રાન્ડ એમ્બેસેડર છે છતાં તેમણે  મતદાન કરવા માટે રાહ જોવી પડી હતી  અને 40થી 45 મિનિટ સુધી રાહ જોયા બાદ  તેમણે  રાજકોટમાં માધાપરની શાળા  ખાતે મતદાન કર્યું હતું.

ગુજરાતમાં  યોજાયું છે પ્રથમ તબક્કાનું મતદાન

ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 788 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. પ્રથમ તબક્કામાં 39 રાજકીય પક્ષો વચ્ચે જંગ છે . જેના માટે 2 કરોડ 39 લાખથી વધુ મતદારો મતદાન કરશે. જ્યારે   6 લાખ મતદારો પ્રથમ વાર મતાધિકારનો ઉપયોગ કરશે  પ્રથમ તબક્કા માટે 25 હજાર 430 મતદાન મથકો રહેશે અને કુલ 34,324 EVM અને 38,749 VVPAT મશીનોમાં મતદાન થશે ચૂંટણી પંચની દેખરેખમાં તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં  પૂર્ણ થાય તે માટેની તમામ વ્યવસ્થા  કરવામાં આવી છે.  મતદાન માટે કુલ 1 લાખ 6 હજાર 963 કર્મીઓ તૈનાત રહેશે  મતદાન બુથ પર વેબ કાસ્ટીંગ માટે વિશેષ સ્ટાફ પણ તૈનાત રહેશે.

Follow Us:
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">