Gujarat Election 2022: ચૂંટણી સમયે રસી પર રાજકારણ, કોંગ્રેસના શક્તિસિંહે કહ્યું ભાજપે વેક્સિનના આંકડામાં કરી ગોલમાલ, ભાજપે નકાર્યા આક્ષેપ

Gujarat Election 2022: ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કોરોના રસી મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો અને જણાવ્યુ કે ગુજરાતમાં કોરોના રસી આપવામાં પણ ખોટી માહિતી આપી છેતરપિંડી કરવામાં આવી છે તો અમિત શાહે જણાવ્યુ કે કોંગ્રેસ રસી મુદ્દે પણ રાજકારણ કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2022 | 8:09 PM

ગુજરાત ચૂંટણીમાં હવે કોરોનાની રસી મુદ્દે પણ આક્ષેપ પ્રતિઆક્ષેપોનો મારો શરૂ થયો છે. કોરોનાકાળ દરમિયાન ભારતમાં વેક્સિનેશન પૂરજોશમાં થયુ. 219 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હોવાનું કોવિડ વેબસાઈટ પર જોઈ શકાય છે. આ આંકડા પર કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ભાજપને ઘેરી છે. શક્તિસિંહે મીડિયા સમક્ષ અભેલાઈ ગામમાં અપાયેલી રસીની શીટ બતાવી હતી અને આક્ષેપ કર્યો કે ભાજપે લોકો સાથે છેતરપિંડી કરી છે. જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વેક્સિન આપવામાં આવી તેમાં અનેક લોકોના નામ સામે એક જ મોબાઈલ નંબર છે.

ગુજરાત ચૂંટણીમાં કોરોનાની રસી મુદ્દે આક્ષેપ-પ્રતિઆક્ષેપ

વધુમાં શક્તિસિંહે આરોપ લગાવ્યો કે વેક્સિન લેનારની માહિતી ઓનલાઈન ઉપલબ્ધ ન હોવાનો પણ આક્ષેપ કર્યો. શક્તિસિંહે સવાલ કર્યો કે શું આ ગુજરાતના લોકો સાથે છેતરપિંડી નથી? ભાજપ પર લોકોએ ભરોસો મુક્યો, પરંતુ તે ભરોસો ભાજપે તોડ્યો છે. આ સાથે કોંગ્રેસે માગ કરી કે છે કે હાઈકોર્ટના સિટીંગ જજ આ સમગ્ર કેસની તપાસ કરે.

અમિત શાહે કોંગ્રેસના પ્રહાર મુદ્દે કર્યો પલટવાર

આ તરફ શક્તિસિંહના આરોપ બાદ અમિત શાહે કોરોના રસી મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. કોરોનાકાળમાં પણ કોંગ્રેસ રસી મુદ્દે રાજકારણ કર્યુ તેવો અમિત શાહે પ્રહાર કર્યો. સાથે જ કહ્યું કે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કોરોના રસીને ભાજપ અને મોદીની રસી કહી. દેશના કરોડો લોકોએ રસી લીધી છે. રાહુલ ગાંધી રાત્રિના અંધારામાં જઈ ગુપચુપ રસી લઈ આવ્યા હતા તેમ પણ તેમણે જણાવ્યુ હતુ.

 

 

 

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">