GUJARAT : રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણની ઉજવણી, મહેસાણામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું લોકાર્પણ
રાજ્યના 4 શહેરોમાં વિકાસલક્ષી કાર્યક્રમો યોજાયા. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યપ્રધાને હાજરી આપી. અને અદ્યતન સુવિધા યુક્ત શિક્ષણના લાભ સહાય માટે કરોડોની જાહેરાત કરાઇ.
GUJARAT : સફળતાના 5 વર્ષ પૂર્ણ કર્યા બદલ રાજ્યની રૂપાણી સરકારે આજથી ઉજવણીની શરૂઆત કરી છે. પ્રથમ દિવસને જ્ઞાનશક્તિ દિવસ તરીકે ઉજવાયો. અને રાજ્યના 4 શહેરોમાં વિકાસલક્ષી કાર્યક્રમો યોજાયા. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યપ્રધાને હાજરી આપી. અને અદ્યતન સુવિધા યુક્ત શિક્ષણના લાભ સહાય માટે કરોડોની જાહેરાત કરાઇ. તો નાયબ મુખ્યપ્રધાને વડોદરાની સયાજી હોસ્પિટલમાં નવા માતૃ અને બાળ આરોગ્ય વિભાગ માટે 50 કરોડ મંજૂર કર્યા. તો મહેસાણા ખાતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જ્ઞાનકુંજ પ્રોજેકટનુ ઇ-લોકાર્પણ કર્યું. જ્યારે ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કચ્છમાં હાજરી આપી. અને ભુજ મહિલા કોલેજ ખાતે હાજરી આપી. સાથે જ કાયદો વ્યવસ્થાની સ્થિતિનો તાગ મેળવ્યો.
આ પણ વાંચો : BHAVNAGAR : રૂપાણી સરકારની પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી, જ્ઞાનશક્તિ કાર્યક્રમથી પ્રારંભ